બોટાદ,તા.4
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ તા.2ના ગુરૂવારના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગઢડા રોડ બોટાદ દ્વારા ધોરણ 1 થી 8 તથા બાલમંદિરનું વર્ષ 2023/ 24 નું વાર્ષિક પરિણામ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાર્થના મંદિર બોટાદના આંગણે વંદનીય માધવ સ્વામી, આચાર્ય કમલેશભાઈ મહેતા, ડી.કે મેણીયા તથા સમગ્ર સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહની સાથોસાથ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બોટાદ દ્વારા દર વર્ષે રાહત દરે ફુલસ્કેપ ચોપડા આપવામાં આવે છે તેના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા તેનાથી પણ વધારે રાહત દરે ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે જેમાં મનુભાઈ એમ સોજીત્રા હાલ સુરત પ્રેમજીભાઈ કાનજીભાઈ કેરાઇ અને હીરાબેન પ્રેમજીભાઈ કેરાઇ, નીતાબેન હિતેશભાઈ પટેલ, અનિતાબેન નરેન્દ્રભાઈ વેકરીયા, અનુશ, કનુશી, થાનસી કેરાઈ, રેન્ના, ધીરેન પટેલ, ઉર્વશી, વરૂણી વેકરીયા અને યુવની અસાણી (હાલ લંડન) વગેરેના સહયોગથી ફૂલસ્ક્રેપ ચોપડાનું વિતરણ કરવામાં આવેલ છે જે ગુરુકુળીય પરંપરામાં સામાજિક આરોગ્ય આર્થિક રીતે મદદરૂપ તથા રાષ્ટ્રીય પ્રવૃત્તિ તેમજ પર્યાવરણીયના વિકાસમાં હર હંમેશ અગ્રેસર એવી આ સંસ્થામાં વિશાળ વાલીગણની હાજરીમાં આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy