(મિલાપ રૂપારેલ)અમરેલી, તા.19
સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે રહેતી પારૂલબેન જયસુખભાઇ બારૈયા નામની રર વર્ષિય યુવતિને તેની માતાએ કામ બાબતે ઠપકો આપતા તેણીએ ગત તા. 14 ના સવારે આઠેક વાગ્યે પોતાની જાતે એસીડ પી જતા પ્રથમ ગારીયાધાર હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડાતા તેણીનું સારવાર દરમ્યાન તા.17 ના રોજ તેણીનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે. લાઠીના ખોડીયારનગર કેરીયા રોડ સબ સ્ટેશન પાસે રહેતા કમલેશભાઇ ભરતભાઇ ચૌહાણ નામનાં 19 વર્ષિય યુવકે ગત તા. 16 ના બપોરે બે વાગ્યે પોતાના રહેણાંક મકાને પોતાની મેળે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું મોત થયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
ખેડૂતનું મોત
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે રહેતા કિશોરભાઈ ભનુભાઈ વાછાણી નામનાં 4ર વર્ષિય ખેડુત પોતાની વાડીએ તા. 16/3 ના સાંજના સાંજના સવા સાતેક વાગ્યાના સમયે બળદને નીરણ નાખવા ગયેલ હોય. ત્યારે ચક્કર આવતા પડી જતા ગમાણ પાસે પથ્થર પડેલ હોય જે પથ્થર માથાના પાછળના ભાગે લાગી જતાં માથામાં હેમરેજ થવાથી સારવાર માટે દવાખાને ખસેડાયેલ બાદમાં તે મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલછે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy