જામનગર તા.23
જામનગરના રાજકીય નેતા, બેંક કર્મી અને વકીલના ફેસબુક એકાઉન્ટ હેક કરી તેના નામે બોગસ એકાઉન્ટ બનાવી રૂ.20 થી 25 હજારની માંગણી કરવામાં આવતા ભારે ચકચાર જાગી છે. આ અંગે ત્રણેય વ્યકિતએ સાયબર ક્રાઈમ પોલીસને જાણ કરી છે. છેતરપીંડીના આ નવતર કીમિયાથી આ મુદો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.
જામનગરમાં રહેતા અને વકીલાત કરતા નિતલ ધ્રુવ, બેંક અધિકારી નિરજ દત્તાણી અને મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરાના ફેસબુક એકાઉન્ટ હેક થયા છે. હેકરે ત્રણેયના નામે બોગસ ફેસબુક એકાઉન્ટ બનાવી મિત્રને નાણાંની જરૂર હોવાથી રૂ.20 થી 25 હજાર માંગણી કરી નાણાં મોકલવના મેસેજ ત્રણેયના મિત્રોને ફેસબુકના માધ્યમાથી કર્યા છે. જેની જાણ થતાં ત્રણેય લોકોએ પોતાનું ફેસબુક એકાઉન્ટ હેક થયું છે, માટે કોઈએ રિપ્લાય આપવો નહીં તેવી જાણ સંબધિતોને કરી છે. નહીં તેવી. આ બનાવ અંગે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ફરિયાદ કરવામાં આવી છે.ઓનલાઈન છેતરપિંડીના કિસ્સા દિનપ્રતિદિન ઘટવાને બદલે વધતા જાય છે ત્યારે છેતરપિંડીના નવા કિમીયાથી શહેરભરમાં આ મુદ્દે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy