જામનગર તા.9:
જામનગર જિલ્લાના કાલાવડમાં કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાનને જૂની અદાવતના મનદુ:ખના મામલે સમાધાન કરવા માટે બોલાવ્યા પછી ચાર શખ્સોએ છરી તથા ધોકા વડે હુમલો કરી દેતાં પડખાના ભાગે તેમજ પગમાં ઈજા થઈ હતી, અને નવ ટાંકા લેવા પડ્યા હતા. જે મામલે કાલાવડ પોલીસ મથકમાં 4 શખ્સો સામે હુમલાની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ ના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા અને પંજેતર નગરમાં દુકાન ધરાવતા હસન ભાઈ જમાલભાઈ ખમીસા નામના સંધિ યુવાને પોતાના ઉપર છરી વડે પડખા ના ભાગે હુમલો કરવા અંગે, ઉપરાંત ડાબા પગમાં પણ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવા અંગે કાલાવડના જ વતની ફરદીનખાન પઠાણ, લતીફ ઓસમાણ સમા, એજાજ ઉર્ફે બ્રેટલી ઓસમાણભાઈ શમા અને તેના એક સાગરીત વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી વેપારીની દુકાને આરોપી ફરદખાન પઠાણ આવ્યો હતો, જેને દુકાને આવવાની ના પાડતાં તેનું મન દુ:ખ રાખ્યું હતું તે મામલે તમામ આરોપીઓએ વેપારીને સમાધાન માટે બોલાવ્યા પછી છરી તથા ધોકા વડે હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.
કાલાવડ પોલીસ ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધી રહી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy