અકસ્માતનો ભય: જોરાવરનગરની મહાત્મા ગાંધી શેરી નં.4માં ઘણા સમયથી ભૂર્ગભ ગટરના ઢાંકણા તુટેલા

Local | Surendaranagar | 17 April, 2024 | 01:18 PM
શેરીમાં તુટેલા ઢાંકણા તેમજ ઉપરથી રહેલી ગટરની ખુલ્લી જગ્યા માટે કાર્યવાહી કરવા માંગ
સાંજ સમાચાર

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
જોરાવરનગરમાં આવેલી મહાત્મા ગાંધી શેરી નંબર-4માં છેલ્લા ઘણા સમયથી મુખ્ય રસ્તા પર જ ગટરનું ઢાંકણુ તૂટેલી હાલતમાં છે. ત્યારે આ વિસ્તારના લોકો અકસ્માતના ભય સાથે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે જ્યાં સુવિધાઓ છે ત્યાં પણ દિવસે દિવસે રસ્તા તેમજ ગટરના ઢાંકણી તૂટ્યા બાદ કોઇ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે.

ત્યારે જોરાવરનગરના મહાત્મા ગાંધી શેરી નંબર-4માં અંદાજે 15થી વધુ મકાન તેમજ ફ્લેટમાં 100 વધુ રહીશો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ શેરીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂર્ગભ ગટરનું ઢાંકણુ તૂટી ગયું હતું.

આ શેરીમાં રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકો દિવસ-રાત અવરજવર કરી રહ્યા છે. પરંતુ આ તૂટેલા ઢાંકણાના કારણે પસાર થતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ શેરીમાં તૂટેલા ઢાંકણી તેમજ ઉપરથી રહેલી ગટરની ખૂલ્લી જગ્યા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી રહીશોમાં માંગ ઉઠી હતી. 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj