(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17
જોરાવરનગરમાં આવેલી મહાત્મા ગાંધી શેરી નંબર-4માં છેલ્લા ઘણા સમયથી મુખ્ય રસ્તા પર જ ગટરનું ઢાંકણુ તૂટેલી હાલતમાં છે. ત્યારે આ વિસ્તારના લોકો અકસ્માતના ભય સાથે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર-વઢવાણ શહેરના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે જ્યાં સુવિધાઓ છે ત્યાં પણ દિવસે દિવસે રસ્તા તેમજ ગટરના ઢાંકણી તૂટ્યા બાદ કોઇ કાર્યવાહી ન થતી હોવાની રાવ ઉઠી છે.
ત્યારે જોરાવરનગરના મહાત્મા ગાંધી શેરી નંબર-4માં અંદાજે 15થી વધુ મકાન તેમજ ફ્લેટમાં 100 વધુ રહીશો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ શેરીના મુખ્ય માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂર્ગભ ગટરનું ઢાંકણુ તૂટી ગયું હતું.
આ શેરીમાં રાહદારીઓ, વાહનચાલકો સહિતના લોકો દિવસ-રાત અવરજવર કરી રહ્યા છે. પરંતુ આ તૂટેલા ઢાંકણાના કારણે પસાર થતા લોકોને અકસ્માતનો ભય સતાવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા આ શેરીમાં તૂટેલા ઢાંકણી તેમજ ઉપરથી રહેલી ગટરની ખૂલ્લી જગ્યા માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી રહીશોમાં માંગ ઉઠી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy