(જીગ્નેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.8
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા ત્રાજપર વિસ્તારમાં રહેતા રવિભાઈ લાલજીભાઈ બાંભવા જાતે ભરવાડ નામના 26 વર્ષના યુવાને તેના ઘરે તા.7-5 ના રાત્રી દરમિયાન ગળેફાંસો ખાઈ લીધો હતો.જેથી કરીને તેનું મોત નિપજ્યું હતું અને આ બનાવ બાદ મૃતકના ડેડબોડીને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોસ્પિટલના તબીબો દ્વારા બનાવની પોલીસને જાણ કરાઈ હતી.જેથી પોલીસે આ બનાવની નોંધ કરી હોય અને આ કેસની તપાસ જે.જે.ડાંગર ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક રવિભાઈ બાંભવાને છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારી હતી અને તેની દવા ચાલુ હતી જોકે તેઓ બીમારી અને દવાથી કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નીપજેલ છે.
ભાઈએ માર માર્યો
માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા દેવકરણભાઈ માલાભાઈ (35) નામના યુવાનને તે મોરબીના લાલતર ગામ પાસે આવેલ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના ભાઈ રસિકભાઈએ ધોકા પડે માર મારતા ઈજા થતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy