ઉના,તા.23
ઉના પંથક નાં દેલવાડા ગામે આવેલ દીવ જાપા ની બહાર ની નગારા સોસાયટી વિસ્તારમાં અડધા થી વધારે ગામ નું ગટર નું પાણી ખુલ્લી ગટર દ્વારા બારોબાર નિકાલ કરવા બનાવેલ છે પરંતુ ગટર નિયમિત સફાઈ નહીં થતી હોવાનાં કારણે ગંદા પાણી અને ગંદકી ઓ ગટલ ભરાઈ જતી હોય લાંબા સમય સુધી સફાઈ નાં અભાવે સોસાયટી વિસ્તારમાં ચારે તરફ દુર્ગંધ મારતાં પાણી અને ગંદકી રોડ પર ભરાતાં આ વિસ્તારમાં છેલ્લા બે માસ થી થી લોકો રાહદારી અને દુકાનદારો ત્રાહીમામ પોકારી ઊઠ્યા હોવાં છતાં પંચાયત નું તંત્ર મૌન સેવ્ેાં હોય તેમ લોકો બિમારી નાં ભરડામાં સંકડાય તેની રાહ જોઈ રહ્યું છે??
ગટર નું વાસ મારતું ગંદુ પાણી રોડ પર ભરાતા ત્યાંના રહેવાસીઓ તોબા પોકારી રહ્યા છે આ બાબતે પંચાયત નાં સત્તાધીશો ને રજૂઆત કરતા એક જેસીબી નાં માધ્યમ થી મેઈન ગટર નાં પાઇપ ને સાફ કરવા ને બદલે ચેમ્બર ની ઉપર પડેલો કચરો ઉપર થી કચરો સાફ કરીને સંતોષ માની લેવાયો હતો પરંતુ કચરો સાફ કર્યા નાં બીજા જ દિવસે જે તે સ્થિતિ નું નિર્માણ થતાં આ ગંદા પાણી રોડ પર અને રહેણાંકી વિસ્તારમાં ફેલાતાં ગંભીર બિમારી ફાટી નિકળશે અને સામાન્ય ગરીબ વર્ગના લોકો તેનો ભોગ બની જશે તેવી દહેશત જોવા મળે છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy