પોરબંદર પંથકમાં 7 વર્ષ પહેલા ખૂન કરી જમીનમાં દાટી દીધેલ યુવાનનાં માનવ કંકાલ મળ્યા: હત્યાનો ભેદ ઉકેલાયો

Saurashtra, Crime | Rajkot | 24 April, 2024 | 11:34 AM
♦ પ્રેમ સંબંધમાં આડખીલીરૂપ બનેલા યુવાનનો કાંટો કાઢી નાખવા ગળાટુંપો આપી મોતને ઘાટ ઉતારી તળાવ કાંઠે દાટી દીધો હતો
સાંજ સમાચાર

♦ લાપતા થયેલા યુવાનનું ખૂન થયું હતું: હત્યા કરનાર આરોપીની ધરપકડ: માનવ કંકાલનો ડીએનએ ટેસ્ટ કરાશે

રાજકોટ,તા.24
પોરબંદર રાણાવડવાળા ગામે 7 વર્ષ પહેલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ (માનવ કંકાલ) તળાવના કાંઠેથી જમીનમાં દાટી દીધેલ હાલતમાં મળી આવતા પરોલ ફર્લો સ્કવોર્ડે આ બનાવનો ભેદ ઉકેલી યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી છે.

પોરબંદર પોલીસ દ્વારા આજથી 7 વર્ષ પૂર્વે ગુમ થનાર પરબત ઉર્ફે ગગુ કોડીયાતર (38) નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી હોવાની ઘટનાનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે હત્યારાએ બતાવેલી જગ્યા પર તળાવના કાંઠે ખોદકામ કરીને માનવ કંકાલ બહાર કાઢ્યું છે.

આ અંગે પોરબંદર એસપી ભગીરથ સિંહ ડોડીયાના જણાવ્યા પ્રમાણે, ગત 25 ડિસેમ્બર 2017 ના રોજ રાતના આઠ વાગ્યાના અરસામાં પરબત ઉર્ફે ગગુ ડેરી ખાતે દૂધ ભરવા જવું છે કહી પોતાના ઘરેથી નીકળ્યો હતો. જે બાદ તે પોતાના ઘરે પરત ન ફરતા તેના પરિવારજનો દ્વારા રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ગુમ બાબતેની જાણ કરવામાં આવી હતી.

પોલીસ દ્વારા સમયાંતરે ગુમશુદા વ્યક્તિઓને શોધવા માટેની ડ્રાઇવ કરવામાં આવતી હોય છે. એજ ડ્રાઇવ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે ભીખા સેજા ઉલવાની પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી દ્વારા ગળાટૂંપો દઈને પરબત ઉર્ફે ગગુની હત્યા કર્યા બાદ તળાવના કાંઠે ખાડો ખોદીને લાશ દાટી દીધી હતી.જેના કારણેમાં મૃતક પરબત ઉર્ફે ગગુ પોતાની પત્ની અને ભીખા સેજા ઉલવાને વાડી વિસ્તારમાં એક સાથે જોઈ ગયો હતો.

જેના કારણે તેને સમગ્ર હકીકત પોતાના ઘરે આવીને કહેતા ઘર કંકાસ પણ શરૂ થયો હતો.જેથી ભીખા સેલજાએ પ્રેમમાં આડખીલી રૂપ બનેલા પરબતનો કાંટો કાઢી નાંખવા માટે તેની હત્યાની યોજના બનાવી હતી.જે અંતર્ગત ભીખા સેજા ઉલવાએ પોતાની પાસે રહેલ ફાળિયા વડે પરબતને ગળાટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જે બાદ તેની લાશને સગેવગે કરવાના ઇરાદે તળાવના કાંઠે લઈ ખાડામાં દાટી દીધી હતી.

આ ગુનામાં પરબત ઉર્ફે ગગુની હત્યા કરવામાં તેની પત્નીની ભૂમિકા પણ છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ સમગ્ર ઘટનામાં માત્ર ભીખા સેજા ઉલવા એક જ જવાબદાર છે કે પછી અન્ય કોઈ વ્યક્તિઓની પણ સંડોવણી છે? તે બાબતે પણ તપાસ કરવામાં આવશે. ભીખા સેજા ઉલવા દ્વારા કઈ જગ્યાએ હત્યા કરવામાં આવી હતી અને ત્યારબાદ તેની લાશને કઈ રીતે તળાવના કાંઠે લઈ જવામાં આવી તે બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે.

હાલ તો આ સમગ્ર મામલે મરણ જનારના પરિવારજનોની ફરિયાદના આધારે ઈંઙઈ 302 હેઠળ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો સાથે જ જે માનવ કંકાલ મળી આવ્યા છે, તે ખરા અર્થમાં પરબત ઉર્ફે ગગુના છે? તે બાબતે ઉગઅ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. આ પોરબંદર પંથકમાં 7 વર્ષ પહેલા થયેલી હત્યાનાં બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj