સાળંગપુરમાં પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં ફુલડોલ ઉત્સવમાં 75 હજાર હરિભકતો અધ્યાત્મક કેસુડાના રંગે રંગાયા

Local | Bhavnagar | 22 April, 2024 | 03:34 PM
સાંજ સમાચાર

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.22
ભગવાન સ્વામિનારાયણે વડતાલ ગઢપુર, સારંગપુર અમદાવાદ એવા વિવિધ સ્થળોએ ફુલદોલના સમૈયાઓ કરીને ભકતોને સ્મૃતિઓ આપીને ગુજરાતની ધરાને ભકિતભીની કરી હતી. તેની કાયમી સ્મૃતિ માટે આ સમૈયો દર વર્ષે સારંગપુર ખાતે ઉજવાતો આવ્યો છે. પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજ દર વર્ષે ફુલદોલનો ઉત્સવ સારંગપુર ધામધૂમપુર્વક ઉજવાતા જેની સ્મૃતિઓના આજે પણ સૌ કોઈ સાક્ષી છે.

તેઓ આશીર્વાદ આપતાં કહેતા કે દુનિયાના રંગે તો બધા રંગાઈ છે પણ આપણે ભગવાનના રંગે રગાંવવાનું છે.એજ પરંપરામાં પ.પૂ. મહંતસ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં આ વર્ષે આજના દિવસે આ ફુલદોલ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાયો હતો જેમાં દેશ-પરદેશથી 75000 હરિભકતો આ પ્રસંગે લાભ લેવા પધાર્યા હતાં. આટલી મોટી સંખ્યામાં આવનાર હરિભકતોની વ્યવસ્થા પણ સુંદર રીતે કરવામાં આવી હતી.

30 જેટલા સેવાવિભાગોમાં 8000 સ્વયંસેવક સેવિકાઓ ખડેપગે ઉભા રહીને સેવા કરી રહ્યા હતાં. હરિભકતોની સુવિધા માટે થોડા થોડા અંતરે પુછપરછ કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિવિધ સેવા વિભાગોમાં સંતો-ભકતોએ ઉપવાસ વ્રત કરતાં કરતાં તનતોડ સેવા કરી હતી. હરિભકતો મંદિર પરિસરમાં દર્શન કરી બી.એ.પી.એસ. વિદ્યામંદિરના પ્રાંગણમાં પ્રવેશ કરી રહ્યા હતાં.

ત્યાં 10 લાખ ચોરસફૂટ ભૂમિને સ્વચ્છ અને સમથળ કરીને સભામંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. સાંજે 5.45 વાગે જયારે ફુલદોલ ઉત્સવની મુખ્ય સભાની શરૂઆત થઈ ત્યારે સભાસ્થળ હરિભકતો ભાવિકોથી ઉભરાંતુ હતું. સભામાં પ્રવેશ પ્રાપ્ત કરતા જ તમામ હરિભકતોને આનંદની અનુભૂતિ થતી હતી. વિશાળ મંચ પર પ.પૂ.મહંતસ્વામી મહારાજે કરેલ યુગકાર્યો રોબીન્સ્વીલ અક્ષરધામ તથા અબુધાબીમાં નિમિતે ભવ્ય હિન્દુ મંદિરની પ્રતિકૃતિઓ મંચની પીછવાઈમાં શોભી રહી હતી. આ સાથે જ સંસ્થાની વિવિધ સામાજિક સેવાઓમાં અગ્રેસર રહી કાર્ય બજાવતાં કાર્યકરોના સમર્પણ અને બલિદાનને કાર્યકર સુવર્ણ મહોત્સવ વર્ષે બિરદાવ્યું હતું.

બી.એ.પી.એસ. સંસ્થાના આંતરરાષ્ટ્રીય ક્ધવીનર પૂ.ઈશ્ર્વરચરણ સ્વામીએ આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને રાષ્ટ્રનો ઉત્કર્ષ અને વિકાસ માટે દરેક નાગરિકની ફરજ રૂપે મતદાન કરવા અનુરોધ કર્યો હતો.ત્યારબાદ ઉત્સવની ચરમસીમા આવી જેમાં પ.પૂ.મહંતસ્વામી મહારાજે અક્ષરપુરૂષોત્તમ મહારાજનું પૂજન કરી તેમને પિચકારીથી રંગે રગ્યા હતાં. ત્યારબાદ ઉપસ્થિત તમામ સંતો અને હરિભકતોએ આરતી અર્ધ્ય અર્પણ કર્યું હતું.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj