ગુજરાત ગેસ પાસેથી એનઓસી લેવાની હજુ બાકી

સુરેન્દ્રનગર મોક્ષધામમાં નવી ઇલેકટ્રીક ભઠ્ઠીની સગવડ છતાં મૃતકોને લાકડાથી અપાય છે અગ્નિદાહ

Local | Surendaranagar | 24 April, 2024 | 02:43 PM
માર્ચ મહિનામાં લોકાર્પિત થયેલ નવી સીએનજી ભઠ્ઠી બંધ હાલતમાં: રિનોવેશનમાં કરાયો અંદાજિત રપ થી 30 લાખનો ખર્ચ
સાંજ સમાચાર

વઢવાણ, તા.24
સુરેન્દ્રનગરના મોક્ષધામમાં આવેલી ઈલેક્ટ્રિક ભઠ્ઠી કોરોના કાળથી બંધ થઇ હતી. જેથી મૃતકની અંતિમવિધિ લાકડાથી કરવી પડતી હતી. આ ફર્નેશને સીએનજીમાં રૂપાંતરિત કરી લોકાર્પિત કરાઈ હતી. ગત તા. 8 માર્ચના રોજ સ્વયંસેવી સંસ્થાની લોકભાગીદારીથી નવનિર્માણ કરાયેલી કરાયેલી સીએનજી ભઠ્ઠી શરૂ જ નથી કરાઇ. પાલિકા દ્વારા ગુજરાત ગેસ પાસેથી આ માટે જરૂરી એનઓસી લેવાનું ભૂલાતા નવી ભઠ્ઠીની સગવડ હોવા છતા મૃતકોને લાકડાથી અગ્નિદાહ આપવો પડે છે.

સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલ મોક્ષધામ જેમાં કોરોના સમયમા ઈલેક્ટ્રિક ભઠ્ઠી ચાલતી હતી. જેમાં ઈલેક્ટ્રીક બિલ પણ ખૂબ આવતું હતું.ત્યારબાદ આ ભઠ્ઠીમાં ક્ષતિ ઊભી થતા બંધ હાલતમાં હતી. જેથી નાછૂટકે લાકડાનો વપરાશ કરવો પડતો હતો. અને ઘણી બધી વાર લાકડાની અછત પણ થતી. આ ઉપરાંત લાકડાના વપરાશથી આસપાસના રહેણાંક વિસ્તારના વાતાવરણમાં ધુમાડાના કણ ફેલાતા હતા.

આથી પાલિકા દ્વારા રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગરના સહયોગથી ગેસથી ચાલતી ફર્નેશનું ઇન્સ્ટોલેશન કરાયું હતું. આ ફર્નેશના રિનોવેશનમાં અંદાજિત 25થી 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ કરાયો હતો. આટલો ખર્ચ કરીને લોકાર્પણ કરી દીધા બાદ પણ હજુ સુધી ભઠ્ઠી ચાલુ ન થતા લોકોમાં રોષ સાથે અસંતોષ ફેલાયો છે.આ બાબતે પાલિકાના ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું કે ગુજરાત ગેસની એનઓસી લેવાની બાકી હોય ભઠ્ઠી ચાલુ કારાઇ નથી. થોડા જ દિવસોમાં સર્ટિ. આવી ગયા બાદ ભઠ્ઠી ચાલુ કરી દેવામાં આવશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj