નવી દિલ્હી, તા.17
આજે રામનવમીએ અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલાને લલાટે વિજ્ઞાનના સાધન પેરિસ્કોપની ટેકનોલોજીની મદદથી સૂર્યતિલક કરવામાં આવ્યું હતું. જો કે સૂર્યતિલક પહેલી ઘટના નથી, ભારતના અનેક મંદિરો, જૈન દેરાસરોમાં ભગવાનની પ્રતિમાને સૂર્યતિલકની પરંપરા છે.
જેમાં ગુજરાતનું અમદાવાદ સ્થિત જૈન મંદિર, મહારાષ્ટ્રમાં કોલ્હાપુરમાં આવેલ મહાલક્ષ્મી મંદિર, ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર, બેંગ્લુરુના ગાવી ગંગાધરેશ્વર મંદિરે ભગવાન, દેવી-દેવતાની મૂર્તિને સૂર્યતિલક-સૂર્યાભિષેક કરવામાં આવે છે. મંદિરોમાં સૂર્યતિલક એક ખાસ અલગ પ્રકારના મિકેનિઝમથી થતું હોય છે.
ગુજરાત અમદાવાદ સ્થિત કોબા જૈન તીર્થ
અમદાવાદના કોબા સ્થિત જૈન તીર્થમાં સૂર્યતિલક કરવામાં આવે છે. કોબા જૈન મંદિરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનો ઉત્કૃષ્ટતાનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. અહીં દર વર્ષે 22મી મેએ લાખો જૈનોની હાજરીમાં સૂર્ય પોતાના કિરણો મહાવીર સ્વામીના મસ્તક પર નાખે છે.
મહારાષ્ટ્રના કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિર
આ મંદિરમાં કિરણોત્સવ પ્રસિદ્ધ છે. આ ઘટના ત્યારે બને છે જ્યારે સૂર્યના કિરણો સીધા દેવી પર પડે છે. આવું વર્ષમાં બેવાર બને છે. 31મી જાન્યુઆરી અને 9 નવેમ્બરે સૂર્યના કિરણો માતાના ચરણોમાં પડે છે. આ મંદિરનું નિર્માણ સાતમી સદીમાં ચાણક્ય વંશના શાસક કર્ણદેવે કરાવ્યું હતું.
મધ્ય પ્રદેશના દતિયાનું બાલાજી સૂર્ય મંદિર
દતિયાથી 17 કિ.મી. દૂર આ ખૂબ જ જુનું મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર પ્રિ-હિસ્ટોરિડ સમયનું છે. પહાડિયોમાં આવેલ આ સૂર્ય મંદિર પર સૂર્યોદયની પ્રથમ કિરણ સીધી મંદિરના ગર્ભગૃહની મૂર્તિ પર પડે છે.
ગુજરાતના મોઢેરાનું સૂર્ય મંદિર
મહેસાણાથી લગભગ 25 કિ.મી. દૂર મોઢેરા ગામમાં આ મંદિર છે. આ મંદિરનું નિર્માણ 1026-27 ઇસવીસનમાં ચૌલુક્ય વંશના ભીમ પ્રથમના શાસનકાળમાં થયું હતું. આ મંદિરની એવી રચના છે કે 21 માર્ચ અને 21 સપ્ટેમ્બરે સૂર્યના કિરણો સીધા મંદિરમાં પ્રવેશી સૂર્યની મૂર્તિ પર પડે છે.
કોર્ણાર્કનું સૂર્યમંદિર
ઓરિસ્સામાં આવેલ આ કોર્ણાર્કનું સૂર્ય મંદિર તેની વાસ્તુકલાથી જાણીતું છે. આ મંદિરની વાસ્તુકલા એવી છે કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરના મુખ્ય દ્વાર પર પડે છે. બાદમાં સૂર્ય પ્રકાશ તેના વિભિન્ન દ્વારોથી પ્રવેશ કરી ગર્ભગૃહને પ્રકાશિત કરે છે.
રાજસ્થાનનું રણકપૂર મંદિર
ઉદયપુરથી 90 કિ.મી. દૂર આ મંદિર અરવલ્લીની પહાડીઓમાં આવ્યું છે. 15મી સદીના જૈન મંદિર તરીકે તેનું સ્થાન છે. સૂર્ય પ્રકાશ મંદિરમાં પડીને ગર્ભગૃહને પ્રકાશિત કરે છે.
બેંગ્લુરુનું ગાવી ગંગાધરેશ્વર મંદિર
ભગવાન શિવને સમર્પિત આ મંદિર ખડકમાંથી કોતરવામાં આવ્યું છે. જેના કારણે મંદિર પર સીધો સૂર્ય પ્રકાશ પહોંચે છે. સૂર્યના કિરણો મંદિરમાં પ્રવેશી પહેલા નંદીની પ્રતિમાને પ્રકાશિત કરે છે ત્યારબાદ શિવલિંગને ચરણ સ્પર્શ કરે છે. અંતમાં પુરા શિવલિંગને પ્રકાશિત કરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy