રાજકોટ, તા.7
લોકસભા ચૂંટણીના મતદાનની પૂર્વ રાત્રીએ રાજકરણ ગરમાયું હતું. જેતપુરના રેશમડીગાલોલમાં મતદાન શેમાં કરવાનું છે ? કહીં ભાજપ આગેવાન પર ત્રણ શખ્સોએ છરીથી હુમલો કરતાં ગંભીર રીતે ઘવાયેલા ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે જેતપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે જેતપુરના રેશમડીગાલોલમાં રહેતાં રમેશભાઇ ભીખાભાઈ મકવાણા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રતાપ જગુ લુહાર, સુજલ રમેશ વેગડા અને અજાણ્યાં શખ્સો (રહે. તમામ રેશમડીગાલોલ, જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે. કરી ગઈકાલે સાંજના આઠેક વાગ્યે ગામમા જુના વાસમા મજુરો ઉતારીને ઘરે જતો હતો,
ત્યારે ગામના સ્મશાન પાસે પહોંચતા પ્રતાપ લુહાર, સુજલ વેગડા અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ઉભા હતા ત્યારે ત્યાંથી નીકળતા તેમનો ઉભો રાખી કહેલ કે, આ વખતે ચુટણીમાં મતદાન શેમાં કરવાનુ છે, તે બાબતે ચર્ચા કરતા તેને કહેલ કે, મારી ઇચ્છા મુજબ મતદાન કરવાનો હોય અને કોઈને જણાવવાનું ન હોય તેવુ કેહતા ત્રણેય શખ્સો ઉશ્કેરાય જઇ પ્રતાપે તેની પાસે રહેલ પાઇપથી હુમલો કર્યો હતો.
તેમજ સુજલ પણ પાઇપ મારવા જતા તેઓ ખસી જતા તેમના ગાડીના દરવાજા પાસે મારેલ અને અજાણ્યા શખ્સે હાથના ખંભાના ભાગે છરીનો એક ઘા મારી દીધેલ હતો. બાદમાં તેઓ ઘરે દોડી જઈ સારવાર માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગેની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસે આઇપીસી કલમ 324 ,114 હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy