ધોરાજી તા.18
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આ નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્રમાં અંદાજીત 2 મહીના સુધી છાશ વિતરણ કરવામાં આવે છે. પૂ.પંન્યાસ પ્રવર શ્રી વ્રજસેનવિજયજી મહારાજની દિવ્ય કૃપાથી પૂ.આચાર્ય મનમોહનસૂરીજી મહારાજ તથા પૂ.આચાર્ય હેમપ્રભસુરીજી મહારાજના માર્ગદર્શનથી દર વર્ષની જેમ સ્ટેશન રોડ ખાતે આ વર્ષે પણ આ નિ:શુલ્ક છાશ વિતરણ શરૂ કરવામાં આવેલ છે.
આ છાશનું વિતરણ અંદાજીત 2 મહીના સુધી વિતરણ કરવામાં આવશે. આ તકે વીરાભાઈ સુખડીયા, હીરેનભાઈ મારડીયા, ચીરાગભાઈ વોરા, વિપુલભાઈ મહેતા, અશોકભાઈ ધોબી સહીતના લોકો હાજર રહેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy