આવતીકાલે અક્ષય તૃતિયાએ સોનાની ખરીદી ટાણે ટેકસ નિયમો પણ મહત્વપૂર્ણ

સોનામાં ખરીદીનાં ધોરણે ઈન્કમટેકસ જવાબદારી નકકી થાય છે

India | 09 May, 2024 | 12:06 PM
સોનુ ખરીદાયા બાદ ત્રણ વર્ષ બાદ વેચવામાં આવે તો 20.8 ટકા ટેકસ ચુકવવો પડે: પરિણીત મહિલા 500 ગ્રામ, અપરિણીત 250 ગ્રામ સોનુ રાખી શકે: વધારાની માત્રા કરપાત્ર
સાંજ સમાચાર

આવતીકાલે અક્ષય તૃતિયાના પવિત્ર દિવસે સોના-ચાંદીની ખરીદી શુકનવંતી ગણાય છે અને ઝવેરી બજારમાં સારી એવી ચમક રહેતી હોય છે ત્યારે સોનાની ખરીદીની સાથોસાથ કરવેરા જોગવાઈઓ પણ અગત્યની બનતી હોય છે. ભારતીય નાગરીકો-મહિલાઓ માટે સોનું રાખવાના નિયમો છે. નિયમ માત્રા કરતાં વધુ સોનુ કરપાત્ર બની જાય છે અને જુદા જુદા ટેકસ સ્લેબ લાગુ પડે છે.

દેશભરમાં અક્ષય તૃતિયા તથા અન્ય પવિત્ર દિવસોમાં સોનાની સારી એવી ખરીદી થતી જ હોય છે. સોનાના દાગીના પહેરવા ઉપરાંત રોકાણ માટે પણ ખરીદી થાય છે. સોનાને સુરક્ષીત રોકાણ ગણવામાં આવતું હોય છે. પરીણામે સોનાના બીસ્કીટ, લગડી, સિકકા, દાગીના જેવા અલગ-અલગ ધોરણે ખરીદી થતી હોય છે.

સોના પરના ટેકસ નિયમો ચકાસવામાં આવે તો ભારતમાં પરીણીત મહિલા ઘરમાં 500 ગ્રામ સોનુ રાખી શકે છે. તેનાથી વધુની ખરીદી કરપાત્ર બને છે. કરવેરાના નિયમો પ્રમાણે સોનુ ખરીદાયા બાદ ત્રણ વર્ષ પછી તેનું વેચાણ કરવામાં આવે તો 20.8 ટકાના દરે ટેકસ ચુકવવાનો થાય છે.ત્રણ વર્ષ પૂર્વે વેચાણના સંજોગોમાં નફો કરદાતાની આવકમાં ઉમેરવાનો થાય છે અને તેનાં આધારે કુલ આવક પર ટેકસ ચુકવણી કરવાની થાય છે.

ઉદાહરણ તરીકે ત્રણ લાખનુ સોનું ખરીદવામાં આવ્યું હોય અને પાંચ વર્ષ બાદ તે છ લાખમાં વેંચવામાં આવે તો ત્રણ લાખનો નફો ગણાય અને તેના પર 20.8 ટકાના દરે ટેકસ ચુકવવાનો રહે છે.

દેશમાં કેટલાંક વખતથી ઈટીએફ પ્રચલીત બન્યુ છે અને તેમાં પણ ટેકસ લાગુ પડે છે. મ્યુચ્યુઅલ ફંડ એસોસીએશનનાં આંકડાકીય રીપોર્ટ પ્રમાણે 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં 17 ગોલ્ડ ઈટીએફ યોજના જારી થઈ હતી અને તેમાં 28529 કરોડનૂં રોકાણ થયુ હતું.

બીજી તરફ ગોલ્ડ બોન્ડની ખરીદીમાં અલગ ટેકસ નિયમો લાગુ પડે છે. ગોલ્ડ બોન્ડની ખરીદીનાં ત્રણ વર્ષ સુધી શેરબજારનાં ધોરણે ઈન્કમટેકસનાં નિયમ લાગુ પડે છે. ત્રણ વર્ષ બાદ વેચવામાં આવે તો નફાના 20 ટકા ટેકસ લાગુ પડે છે. નિશ્ચિત સમય મર્યાદા માટે ખરીદી હોય તો કોઈ ટેકસ લાગતો નથી સામાન્ય રીતે નિર્ધારીત સમય સીમા આઠ વર્ષની હોય છે અને તેમાં પાંચ વર્ષ બાદ પાકતી મુદત પૂર્વે વટાવવાનો વિકલ્પ મળતો હોય છે.

આવકવેરા કાયદા હેઠળ ઘરમાં સોનું રાખવા માટેની મર્યાદા પણ નિર્ધારીત છે. નિયત માત્રાથી વધુ સોનુ હોય તો આવકવેરા રીટર્નમાં માહીતી આપવી પડે છે. આવકવેરા નીયમ મુજબ વિવાહીત મહીલા 500 ગ્રામ તથા અપરીણીત મહિલા 250 ગ્રામ સોનુ રાખી શકે છે. પુરૂષો માટે 100 ગ્રામની મર્યાદા છે. તેનાથી વધુ સોના માટે આવકના પુરાવા પણ આપવાનાં હોય છે.ય છે

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj