♦ બે યુવાનોના અકાળે મોતથી પરિવાર સાથે ખોબા જેવડા પારડી ગામમાં પણ અરેરાટી સાથે ગમગીની છવાઈ
રાજકોટ. તા.25
રાજકોટની નજીક કોઠારિયા પાસે આવેલ ખોખડદળ નદીમાં ન્હાવા પડેલા શાપરના પારડીના બે મિત્રના ડૂબી જવાથી મોત નીપજ્યા હતાં. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ બંને મિત્રોના મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 27 અને 18 વર્ષની વયના બંને મિત્રનાં મોતથી ખોબા જેવડા પારડીમાં ગમગીની છવાઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, શાપરના પારડીમાં સહજાનંદ સોસાયટીમાં રહેતો નયન અજયભાઈ વેગડા (ઉ.વ.17) અને તેનો મિત્ર આર્યન ભરતભાઈ રાઠોડ (ઉ.વ.18) ગઈકાલે બપોરે નયનના બાઈકમાં પારડીથી નીકળ્યા હતા. સાંજ સુધી બંને પરત નહીં આવતાં નયનના પિતા અજયભાઈ વેગડાએ આર્યનના નાનાભાઈને ફોન કરીને બંને મિત્રો ક્યાં છે તે અંગે પૂછવાનું કહેતા આર્યનના ભાઈએ ફોન કરતા કોઈ અજાણી વ્યક્તિએ ફોન રિસીવ કર્યો હતો અને આ ફોન જેનો છે તે અને તેની સાથેનો છોકરો ખોખડદળ નદીમાં લાંબા સમયથી નહાવા પડયાની, બંનેના કપડાં નદી કાંઠે હોવાની અને બંને નદીમાં નહીં દેખાતા હોવાનું કહેતા ધ્રાસ્કો પડયો હતો. બાદમાં આર્યન તથાં નયનના પરિવારજનો ખોખડદળ નદી કાંઠે દોડી ગયા હતા.
ઘટનાની જાણ કરાતા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફે નદીના પાણીમાં ભારે જહેમત બાદ દોઢેક કલાકની મથામણ બાદ નયન અને આર્યનના મૃતદેહ હાથ આવ્યા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આર્યન રાઠોડ બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને તેણે ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હતો. તેના પિતા ભરતભાઈ રાઠોડ મજૂરીકામ કરે છે. જ્યારે નયન એક બહેનનો એકનો એક ભાઈ હતો અને તેના પિતા કડિયાકામ કરે છે, જ્યારે મૃતક મજૂરીકામ કરતો હતો.
બનાવ અંગે વધુમાં મૃતક નયનના પરિવારજનોએ જણાવ્યું હતું કે, નયને ગઈકાલે બપોરના ચાર વાગ્યે પોતે વાળ કપાવવા જવાનું કહીં ઘરેથી બાઈક લઈ નીકળ્યો બાદ પડોશમાં રહેતો આર્યનને પણ સાથે લીધો હતો. બાદમાં બંને વાળ કપાવી ન્હાવા માટે ઘરે આવવાના બદલે ખોખળદળ નદીમાં ન્હાવા માટે ગયાં અને મોતને ભેંટ્યા હતાં. બનાવથી વેગડા અને રાઠોડ પરિવારમાં શોક સાથે કલ્પાંત છવાયો હતો.
બનાવ અંગે આજીડેમ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.
♦ મૃતક નયન મૂળ તાલાલા પંથકનો અને બે બહેનનો એકનો એક ભાઈ હતો
રાજકોટ. તા.25
ખોખડદળ નદીમાં ન્હાવા પડેલ બે યુવકોના કરૂણ મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતક નયન મૂળ તાલાળાના ગળીયાવળ ગામનો વતની હતો અને તે પરીવાર સાથે પારડીમાં સ્થાઈ થયાં હતાં. તે કારખાનામાં મજૂરી કામ કરતો અને બે બહેનનો એક નો એક ભાઈ હતો. તેમના પિતા સેન્ટિંગ કામ કરે છે. મૃતકના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતનમાં લઈ જવાયો હતો.
♦ ફાયરબ્રિગેડની ટીમે દોઢ કલાકની મથામણ બાદ બંને યુવકોના નિષ્પ્રાણ દેહ બહાર કાઢ્યા: આજીડેમ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી મૃતદેહ પીએમ અર્થે ખસેડયા
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy