જામખંભાળિયા,તા.6
દેવભૂમિ દ્વારકામાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજીનો 547 માં પ્રાગટ્ય મહોત્સવ ઉમંગ ઉત્સાહ સાથે તેમજ ધામધૂમપૂર્વક દ્વારકાની બેઠકજી ખાતે ઉજવાયો હતો.
પૂ. શ્રી કાલીન્દીવહુજી શ્રી નટવરગોપાલજી મહારાજ શ્રી નવી હવેલી દ્વારકા, બરડીયા, પોરબંદર, વેરાવળ, વડનગર, રાજકોટ, કંપાલા હવેલીવાળાની અધ્યક્ષતામાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો 547 મો પ્રાગટ્ય મહોત્સવ ભક્તિસભર માહોલમાં ઉજવાયો હતો. આ પ્રસંગે મહાપ્રભુજીના દ્વારકા બેઠકજી કિર્તન મંડળી, રાસ મંડળી સાથે પ્રસ્થાન થઇ નવી હવેલી દ્વારકામાં ઠાકોરજી સાથે પધાર્યા હતા. જ્યાં સૌનું ભાવભર્યું સ્વાગત પૂજન કરાયું હતું. આ સાથે સિવણ કલાસના બહેનો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરી ભાવવાહી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે યોજાયેલી શોભાયાત્રા દ્વારકાના મુખ્ય માર્ગો પર થઇ મહાપ્રભુજી બેઠક પર સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં દ્વારકાના શ્રી વલ્લભાચાર્ય ચેરિટી ટ્રસ્ટ દ્વારકાના અધ્યક્ષ મહોદયા પુ.પા.ગો.108 શ્રી કાલીન્દીવહુજી શ્રી નટવરગોપાલજી મહારાજની આજ્ઞા અનુસાર દ્વારકા મહાપ્રભુજીની બેઠક ખાતે રાત્રે નંદ મહોત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવોએ ઉપસ્થિત રહી, આ પ્રાગટ્ય ઉત્સવ ઉજવીને મહા પ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રાગટ્ય ઉત્સવ મોડી રાત્રી સુધી ચાલ્યો હતો.
(ફોટો:- કુંજન રાડિયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy