ભાવનગર તા.23
ભાવનગર શહેરમાં આવેલ જુની માણેકવાડી કાછીયાવાડમાં રસિક સકીર્તન મંડળ દ્વારા ભાવનગરથી ડાકોર પગપાળા સંઘનું આયોજન કરવામાં આવેલ હતું. છેલ્લા વીસ વર્ષથી પગપાળા ભાવનગરથી ડાકોર આ સંઘ જાય છે. આ વખતે વીસમું વર્ષ હોય બાવનગજની જય રણછોડરાયના નામની ધજા ચડાવવામાં આવશે. પ્રસ્થાન સમયે ભજનોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાવનગરથી પ્રસ્થાન સમયે અનેક સેવાભાવિઓ હાજર રહ્યા હતા ભારે ગરમી અને ધોમધખતા તડકામાં ભાવનગરથી ડાકોર આ સંઘ પહોંચ્યો હતો. જય રણછોડના નારા સાથે આ સંઘ ડાકોર પહોંચ્યો હતો.
આ સંઘમાં દિલીપભાઈ અંધારીયા, હરીભાઈ અંધારીયા, વંદન કિશોરભાઈ અંધારીયા, હર્ષદભાઈ અંધારીયા, પ્રેમભાઈ અંધારીયા, હેમબેન અંધારીયા, રાજુબેન અંધારીયા, ગીતાબેન અંધારીયા, રાજુભાઈ અંધારીયા, નિકેતનભાઈ, મેહુલભાઈ, અલ્પાબેન, અલ્પેશભાઈ, વિશાલભાઈ, જીલનભાઈ, રાજભાઈ, મનીષભાઈ, પ્રિયાંગભાઈ, રૂદ્રભાઈ, બાબુભાઈ અંધારીયા વગેરે આ પગપાળા સંઘમાં જોડાયા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy