રાજકોટ તા.15
ગત તા.28મી માર્ચના જામનગર નજીક વિજરખી પાસે વિહરતા પૂ. શ્રી હિતશેખર વિ.મ.ને હડફેટે લઈ ફરાર થઈ ગયેલો આરોપી વાહન ચાલક જામનગરનો રાજેશ ઉર્ફે રાજુ વેજાણંદ ભાટીયાને પોલીસે ઝડપી લીધો છે.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે અકસ્માત બાદ પૂજયશ્રીને રાજકોટની વોકહાર્ટ હોસ્પીટલે લવાયા હતા અને તત્કાલ સારવાર શરૂ કરાઈ હતી. આજે 16મો દિવસ છે. તબીયતમાં સુધારો જોવા મળી રહ્યો છે. ડો. કાંત જોગાણી તથા ડો. ધર્મ ચંદ્રાણી, ડો. કેતનભાઈ, ડો. વિકાસ જૈન સહિતના ડોકટરો ખડાપગે રહે છે તેમ વૈયાવચ્ચ પ્રેમી દિલીપભાઈ વસાએ જણાવેલ છે. પૂજયશ્રીની સેવા પૂજય મુનિશ્રી રાજશાંતિશેખર વિ.મ. તથા મુનિશ્રી સાવેગશેખર વિ.મ. ખડેપગે કરી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy