જામ ખંભાળિયાના ક્રાઇમ સમાચાર

Local | Jamnagar | 16 April, 2024 | 11:39 AM
ખંભાળિયા નજીક પીકઅપ વેનમાં લઇ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
સાંજ સમાચાર

(કુંજન રાડીયા)
જામ ખંભાળિયા, તા.16

 

ખંભાળિયા - દ્વારકા હાઈ-વે માર્ગ નજીક આવેલી પાયલ હોટલ નજીકના રેલવે ફાટક પાસેથી એલ.સી.બી. પોલીસે ગતરાત્રિના આશરે 11 વાગ્યાના સમયે પસાર થઈ રહેલા જી.જે. 25 ઈ 5884 નંબરના એક બોલેરો પીકઅપ વાનને અટકાવી, ચેકિંગ કરતા આ વાહનમાં તાલપત્રી હેઠળ છુપાવીને લઈ જવાતા 500 લીટર દારૂના બાચકાઓ મળી આવ્યા હતા.

આથી પોલીસે રૂપિયા દસ હજારની કિંમતના દેશી દારૂ તેમજ રૂપિયા પાંચ લાખની કિંમતના બોલેરો વાહન અને મોબાઈલ, રોકડ સહિત કુલ રૂપિયા 5,16,200 ના મુદ્દામાલ સાથે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના ડોલરગઢ ગામે રહેતા દેવા ઉર્ફે ભુરી જીવાભાઈ મોરી નામના 25 વર્ષના માલધારી રબારી યુવાનને ઝડપી દીધો હતો. આ પ્રકરણમાં ખંભાળિયા તાલુકાના દેવળીયા ગામે રહેતા અનિરુદ્ધસિંહ કેસરીસિંહ જાડેજા, રાણપર ગામના કારા ઉર્ફે મેરુ કાના મોરી અને બાવરવાવ નેશ ખાતે રહેતા રાજુ કાનાભાઈ કટારા નામના ત્રણ શખ્સો પણ સંડોવાયેલા હોવાનું ખુલતા પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી, આરોપી દેવા ઉર્ફે ભુરી રબારીની અટકાયત કરી, અન્ય ત્રણ શખ્સોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
 

ભાણવડ પંથકમાં વિદેશી દારૂ અંગે ત્રણ સ્થળોએ કાર્યવાહી
ભાણવડથી આશરે 10 કિલોમીટર દૂર મોરઝર ગામ ખાતે રહેતા સુભાષ વીરાભાઈ રાઠોડ તેમજ મહેશભાઈ લાલજીભાઈ પટેલ નામના બે શખ્સો દ્વારા સાથે મળીને આરોપી મહેશ લાલજીભાઈની વાડીની ઓરડીમાં છુપાવીને રાખવામાં આવેલી વિદેશી દારૂની 31 બોટલ તેમજ દારૂના 96 ચપટા મળી કુલ રૂપિયા 41,200 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. જો કે આ દરોડા દરમિયાન ઉપરોક્ત બંને આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
અન્ય એક કાર્યવાહીમાં મોરઝર ગામે રહેતા વિજય ઉગાભાઈ બગડા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી પોલીસે જુદી જુદી બ્રાન્ડની 65 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દરોડામાં રૂપિયા 26,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જેમાં રાણપર ગામના વેજા ભોરાભાઈ શામળા નામના શખ્સને સપ્લાયર તરીકે હાલ ફરાર જાહેર કરવામાં આવ્યો છે.

ભાણવડ તાલુકાના ગડુ ગામના પાટીયા પાસે રહેતા રમેશ દેવાભાઈ મોરી નામના 19 વર્ષના શખ્સના કબજામાંથી પોલીસે રૂ. 1,600 ની કિંમતની ચાર બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. આ પ્રકરણમાં સપ્લાયર એવા ગડુ ગામના લખમણ નારણભાઈ કંડોરીયાને હાલ ફરાર જાહેર કરાયો છે.
 

સુરજકરાડીના આધેડનું હૃદયરોગના હુમલાના કારણે મૃત્યુ
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા કાનાભાઈ આલાભાઈ કાટેજા નામના 53 વર્ષના આધેડને પોતાના ઘરે અચાનક શ્ર્વાસ ચડ્યા બાદ છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર દરમિયાન તેમનું સ્થાનિક હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું હતું. જે અંગેની જાણ મૃતકના પુત્ર સંજયભાઈ કાટેજાએ મીઠાપુર પોલીસને કરી છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj