8 મે ની જામનગર-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ રીશેડ્યુલ કરવામાં આવી. જામનગર થી 4 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. પેરિંગ રેક મોડી આવવાને લીધે, 8 મે, 2024 ના રોજ જામનગર થી ઉપડનારી ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન જામનગર થી 8 મે, 2024 ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 08.15 ના બદલે 4 કલાક 35 મિનિટ મોડી એટલે કે બપોરે 12.50 કલાકે ઉપડશે.
આ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરેલા રૂટ વાયા અંબાલા કેંટ-ચંડીગઢ-ન્યુ મોરિન્ડા-સરહિન્દ-સાનેહ વાલ થઈને દોડશે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy