(હિતેશ ગોસાઈ) જસદણ, તા.30
લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત રાજકોટ જીલ્લામાં મતદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને વધુમાં વધુ લોકો આગામી લોકસભાની ચૂંટણીના મહાપર્વમાં સહભાગી થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા માટે રાજકોટ જીલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા તડામાર કામગીરી કરાઈ રહી છે ત્યારે મતદારોને મતદાન પ્રત્યેની ઉદાસીનતા દુર કરી પોતાના મતની શકિતનું મૂલ્ય સમજીને ઉત્સાહપૂર્વક મતદાન માટે બહાર આવવા જસદણ જીઆઈડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ જે રાઠોડએ અપીલ કરી છે.
તેમણે કહ્યું હતું કે લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારોએ પોતાની ભાગીદારી સુનિશ્ર્ચિત કરવા ઉત્સાહપૂર્વક આગળ આવી અવશ્ય મતદાન કરવું જોઈએ ખાસ કરીને ભુતકાળની મતદાનની ટકાવારી શહેરી મતદારોની ઉદાસીનતા દર્શાવે છે ત્યારે આગામી તા.7 મે ને મંગળવારના રોજ હું અને મારો પરિવાર દેશ માટે મત આપવા જવાનો છું અને મત આપીશું તમે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશના યોગ્ય ઉમેદવારને ઉત્સાહથી મત આપવા નમ્ર વિનંતી કરું છું.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy