સલાયા લોહાણા મહાજન દ્વારા સમસ્ત રઘુવંશી પરિવારના સાથ સહકારથી રામનવમીના બીજે દિવસે પારણાંની નાત (જ્ઞાતિ ભોજન)નું આયોજન કરાયુ હતું.જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ મહા પ્રસાદ લીધો હતો.આં જ્ઞાતિ ભોજનની શરૂઆત શ્રી રામ ભગવાન અને જલારામ બાપા તેમજ બ્રહ્મસમાજની આરતી ઉતારી કરાયો હતો.આં જ્ઞાતિ ભોજન પરંપરાગત રીતે પંગતમાં બેસાડીને કરાઈ હતી. આ પ્રસંગે ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ તેમજ નગર પાલિકા પ્રમુખ પરિવારના સભ્યો અને રઘુવંશી અગ્રણીઓ ખાસ પધાર્યા હતા. આ સુંદર આયોજનને સફળ બનાવવા લોહાણા મહાજન સલાયા અને જલારામ સેવા સમીતીએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : આનંદ લાલ - સલાયા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy