(પ્રકાશ દવે દ્વારા) કેશોદ તા. 16
અયોધ્યા ખાતે રામમંદિરમાં ભગવાન રામના દર્શનના દ્વાર ખુલ્લીયા બાદ સમગ્ર દેશમાં રામમય માહોલ સર્જાયો છે ત્યારે આગામી રામ નવમી પ્રસંગે કેશોદમાં ભગવાન શ્રી રામ ના જન્મ દિવસ ને ધામધૂમથી ઉજવવા માટે નો ધનગનાટ જોવા મળી રહ્યો છે. રામ ભગવાન ના જન્મ દિવસને ઉજવવા માટે સમગ્ર સોરઠમાં અનેરો ધનગનાટ જોવા મળે છે.
આગામી રામનવમી રામમય બની રહે તે માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને અનેક હિનદુવાદી સંસ્થાઓ રામ નવમીની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે થાય તે માટેનું આયોજન કરવા માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે તો બીજી તરફ સમગ્ર સોરઠમાં રામ નવમીને લયને કેસરિયો માહોલ સર્જાય તે માટે થઈ વિવિધ ફલોટસ તથા શ્રીરામ લખેલ બેનરો તથા ઝંડીઓ અને શહેરના વિવિધ શોભાયાત્રાના મુખ્ય માર્ગ પર જોવા મળી રહ્યા છે.
શહેરના મુખ્ય માર્ગો પર કમાનોવાળા ગેઈટને શણગારવવામાં આવી રહીયા છે અને આમ સોરઠ ભરમાં રામ નવમીના દિવસે ભક્તિમય માહોલમાં રામ નામનો જય જય કાર સંભળાતો જોવા મળશે તે પ્રકારે હાલમાં આયોજનો કરવામાં આવી રહ્યા છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy