(હિતેશ ગોસાઇ) જસદણ, તા.9
જસદણમાં દિશાસૂચક સાઈન બોર્ડ ન હોવાથી દિવસભરમાં હજજારો નાગરિકો ગોથે ચડી રહ્યાં છે આમ છતાં પાલિકાનાં જવાબદાર તંત્રને કઈ સુઝતું નથી હાલ જસદણ શહેરનો વ્યાપ અને વસ્તી સતત વધતાં જાય છે ઇસ્વીસન 1995 માં જસદણને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો દરમિયાન અનેક અઘિકારીઓ અને પદાધિકારીઓ આવ્યાં તેમણે હજું સુધી કંઈ ઉકાળ્યું નથી જસદણમાં હાલ કાયદેસર ગેરકાયદેસર અનેક નવા વિસ્તારો બન્યાં છે ચોતરફ સોસાયટી શોપિંગ સેન્ટર મકાનો બંગલાઓ દુકાનોનો રાફડો ફાટયો છે આવા સમયે કોઈ દિશાસૂચક સાઈન બોર્ડ ક્ષ હોવાથી લોકો ગોથે ચડી જાય છે કોઈ વિસ્તારમાં જવું હોય તો દસ જગ્યાએ પૂછપરછ કરવી પડે છે નગરપાલિકા કરોડો રૂપિયાનું બિનજરૂરી ખર્ચ કરી પ્રજાના પરસેવાની કમાણી વેડફે છે પણ રાહદારીઓ અને વાહનચાલકો માટે જરૂરી એવા દિશાસૂચક સાઈન બોર્ડ બનાવવા અખાડા કરે છે ત્યારે નાગરીકો માટે જરૂરી એવા દિશાસૂચક સાઈન બોર્ડ મુકવા સામાજીક કાર્યકર જયેશ હિંમતલાલ કલ્યાણીએ માંગણી ઊઠાવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy