(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.27
ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની એક યાદીમાં જણાવ્યા અનુસાર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સહ માનદમંત્રી કેયુરભાઈ કોઠારી દ્વારા ગત સાંજના 6.15થી 7 કલાક વચ્ચે બે એસટી બસ થાનગઢથી સુરેન્દ્રનગર વચ્ચે શરૂ કરવા લીંબડીના ઈન્ચાર્જ ડેપો મેનેજરને વિગતવાર રજુઆત કરવામાં આવી હતી.
કોવિડ-19 પછી ટ્રેનના સમયપત્રકમાં ફેરફાર થવાને કારણે સુરેન્દ્રનગર- થાનગઢ- સુરેન્દ્રનગર વચ્ચે મોટી સંખ્યામાં અપડાઉન કરતા મુસાફરોને સાંજના સમયે થાનગઢથી સુરેન્દ્રનગર આવવા માટે મુશ્કેલી પડી છે.
જેથી મુસાફરોને પ્રાઈવેટ વાહનમાં મોંઘા ભાડા ભરી અપડાઉન કરવાની ફરજ પડી રહી છે. આથી ઝાલાવાડ ચેમ્બરના સહ માનદ મંત્રી કેયુરભાઈ કોઠારી, આમંત્રીત સભ્ય કિરીટભાઈ ત્રિવેદી અને સેક્રેટરી જનરલ દીપ તુરખીયા દ્વારા એસટી બસ શરૂ કરવા વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy