જુનાગઢ તા.15
જુનાગઢમાં રહેતો અને ચોરીના ગુન્હામાં જુનાગઢ જેલમાં રહેતો યુવાને આરોપીને ગાળો બોલવાની ના પાડતા બે આરોપીઓએ ધકકો મારી પછાડી દઈ ગુપ્તાંગ અંગમાં નખ મારી લોહીલોહાણ કરી દેતા દવાખાને ખસેડવામાં આવ્યો હતો. અન્ય આરોપીએ માથામાં શરીરે માર મારતા ત્રણ સામે ફરિયાદ નોંધાઈ છે.
જુનાગઢ લોઢીયાવાડી કૃષ્ણનગરમાં રહેતો જયેશ તુલસીભાઈ હેમાણી (ઉ.24) ચોરીના ગુન્હામાં જુનાગઢ જેલમાં હોય જયાં ઈસ્માઈલ અબ્દુલ ઢાંકી ગાળો બોલતો હોય જે બોલવાની ના પાડતા ધકકો મારી પછાડી દઈ આરોપીઓ ઈસ્માઈલ અબ્દુલ અને સુલેમાન અબ્દુલા ઢાંકીએ ગુપ્તાંગમાં નખ મારી લોહીલોહાણ કરી દીધેલ જયારે સાહિલ સુલેમાન ઢાંકીએ પેટમાં માથામાં ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.
આપઘાત
માળીયાહાટીના પટેલ સમાજ વિસ્તારમાં રહેતા ભગવાનજી ગંગદાસભાઈ કરડાણી (ઉ.62)ને કેન્સરની બીમારી હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત નોંધાયુ હતું. માળીયા પોલીસે તપાસ હાથ ધરી છે.
કેશોદ સોનીબજાર વીર ગુદ્દી દરગાહ પાસે રહેતા મનોજભાઈ ત્રિકમભાઈ વણપરીયા (ઉ.48) એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા મોત નોંધાયુ હતું. કેશોદ પોલીસે તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy