(ગની કુંભાર)
ભચાઉ તા.19
અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા ચૈત્રી નવરાત્રીની આઠમના દિવસે કીડાણા સરકારી ક્ધયા શાળામાં ક્ધયા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 100 જેટલી ક્ધયાઓનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આરતી ઉતારવામાં આવી હતી.
અરાઇઝ ફાઉન્ડેશન દ્વારા કીડાણા સરકારી ક્ધયા શાળામાં ક્ધયા પૂજનના આયોજનમાં અંદાજે 100 જેટલી ક્ધયાઓનું પૂજન કરી તેમને સ્ટેશનરી કીટ,
શણગાર કીટ અને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખુબ જ ધાર્મિક માહોલમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. નાની બાળાઓએ આ દરમ્યાન નૃત્ય રજુ કર્યા હતા અને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરાઇઝ ફાઉન્ડેશનના ડો. કાયનાત અંસારી આથા, કામીની સોની, ચૈતાલી વસા, દિક્ષા દોશી, રીતુ ચંદવાની, સુધા સકસેના, જયા મુખર્જી, ઝંખના ઠક્કર, પુજા રામચંદાની, લલીતા ચોરસીયા, રાહુલ સોની, બ્રીજેન ગોંડલીયા, દીપેન જોડ, કલ્પેશ રાઠોડ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કીડાણા ક્ધયા શાળાના આચાર્ય દિલીપભાઇ પટેલ તથા સ્ટાફનો સહયોગ સાંપડયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy