રાજકોટ, તા.26
હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે, ત્યારે રાજકોટમાં દોહિત્રના લગ્ન પ્રસંગે આવેલા રાણાવાવના નિવૃત્ત રેલ કર્મી કિશોરભાઈ નાથાભાઈ પરમાર(ઉ.વ.68)નું હાર્ટ એટેકથી મોત થયું હતું. બનાવથી ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, કિશોરભાઈ પરમાર (રહે.રેલવે કવાર્ટર, રાણાવાવ, જિ. પોરબંદર) નામનાં વૃદ્ધ રાજકોટ ખાતે ધરમ સિનેમા પાછળ આવેલા સરકારી કવાર્ટરમાં રહેતાં તેનાં મોટાભાઈની દિકરી રમીલાબેન મહેશભાઈ મોરબીયાના ઘરે આવ્યા હતા. રમીલાબેનના પુત્ર એટલે કે કિશોરભાઈના દોહીત્રના લગ્ન હતા. ગઈકાલે માંડવો હતો અને આજે જાન જવાની હતી. જોકે, ગઈકાલે રાત્રીના 12.30 વાગ્યે લગ્ન પ્રસંગનો આનંદ સૌ માણી રહ્યા હતા. તે સમયે જ કિશોરભાઈએ અચાનક છાતીમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તેને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. કિશોરભાઈ 7 ભાઈમાં ત્રીજા નંબરના હતા. તેને સંતાનમાં ત્રણ પુત્ર છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy