(મેહુલ સોની) પાલીતાણા,તા.26 ભાવનગર લોકસભાના ભાજપના ઉમેદવાર નીમુબેન બાંભણીયા અને ભાજપના આગેવાનો આજે પાલીતાણા વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં પ્રચાર માટે નીકળ્યા હતા અને માલપરા થી રંડોળા પ્રચારકામ માટે જઈ રહ્યા હતો અને ત્યાંથી વિરપુર ગામે જવાના હતા ત્યારે રંડોળા ગામના પુલ પાસે રંડોળાના ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા નો વિરોધ પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરાતા આથી પરિસ્થિતિ નો તાગ મેળવી ભાજપના ઉમેદવારનો પ્રચાર કાફલા એ રૂટ બદલવો પડ્યો હતો. અને રંડોળાની સભા રદ કરી ભાજપના આગેવાનોએ રંડોળા રૂટ બદલીને અઢીદ્વીપની પાસેથી હવામહેલ પાછળના રસ્તે નીકળી વીરપુર ગામે ગયા હતા. હજી ગઈકાલે જ પાલીતાણા તાલુકાના નવાગામ બડેલી નજીક ભાજપના ઉમેદવારના પ્રચારકાફલાનો વિરોધ કરવામાં આવેલ હતો ત્યારે આજે સતત બીજા દિવસે પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy