વેરાવળ, તા. 4
વેરાવળ બસ સ્ટેશન ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર અને લોક જાગૃતિ મંચના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત સર્વે નાગરિકો તેમજ મુસાફરોએ ઉપસ્થિત રહી લોભ લાલચ વિના મતદાન કરવા અંગેનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમ દરમિયાન લોક જાગૃતિ મંચ દ્વારા મુસાફરોને મતદાન જાગૃતિ અંગેની પત્રિકા વિતરણ કરવામાં આવી હતી. અને મતદાન જાગૃતિ અંગેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં મામલતદાર (ગ્રામ્ય) આરઝુબહેન ગજજર, એસ.ટી.ડેપો મેનેજર શ્રી શામળા, લોક જાગૃતિ મંચના પ્રમુખ કિરીટભાઇ ઉનડકટ, ભૂતપૂર્વ પ્રમુખો શ્યામભાઇ નાથાણી, જે.બી.મહેતા સહિત સભ્યો અનિલભાઇ પુરોહિત, નરેન્દ્ર ટહેલરામાણી, મધુસૂદન નાયક ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપકભાઇ નિમાવતે કર્યું હતું.
(તસ્વીર : મીલન ઠકરાર-વેરાવળ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy