(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.2
અમરેલી માર્ગ ઉપર આવેલ ગાયત્રી મંદિર નજીકની લીલીયામોટા ખાતે ગેસની પાઈપલાઈનમાં લિકેજ થતાં અફડા તફડી મચી હતી. બનાવની જાણ થતાં મામલતદાર, ટીડીઓ, સરપંચ સહિત સૌ કોઈ ઘટના સ્થળે દોડયા હતા.
લીલીયા મોટાનાં અમરેલી રોડ પર આવેલ ગાયત્રી મંદિર સામે ગુજરાત ગેસની લાઈનમાંથી પીએનજી ગેસની લાઈનમાં પડયું ભંગાણ. પીએનજી ગેસ નીકળવાથી આગ લાગી અને આગ લાગવાથી તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાયો. સવારનાં 8:4પ મિનિટે ઘટના ઘડી અને આ ઘટનાની થતાં સ્થાનિક તંત્ર ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચ્યું. લઈાન તૂટતા એકાદ કલાક ગેસ રિલીઝ થયો ગુજરાત ગેસ ઘ્વારા લાઈન જમીનમાં ઉપર નાખવામાં આવેલ હોવાથી ઘટના ઘટી હોવાનું પ્રાથમિક તારણ. કોઈ મોટી જાનહાની થાય તે પહેલા લીલીયા ગ્રામ પંચાયતના સરપંને બનાવની તાત્કાલિક જાણ કરાતા ગ્રામ પંચાયતના જેટિંગ મશીનના ટાંકાથી પાણીનો મારો ચલાવીને આગ ઠારવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને ઘટનાની ગંભીરતા જોઈ સ્થાનિક તંત્ર તાત્કાલિક ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચ્યું હતું.
જેમાં મામલતદાર દેસાઈ, નાયબ મામલતદાર પંકજ બારૈયા, ટીડીઓ તુષાર રાદડીયા, ટાઉન પોલીસ અધિકારીગૌતમભાઈ ખુમાણ, પીજીવીસીએલના કર્મચારીઓ, ગુજરાત ગેસના કર્મચારીઓ સહિત લીલીયાનાં સરપંચ તેમજ ગ્રામ પંચાયતના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ગુજરાત ગેસના કર્મચારીઓ ઘ્વારા લીકજિંગનું સમારકામ શરૂ કરાયું હતું. તેમ ઈમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy