(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 20
સુરેન્દ્રનગર જિલ્લાની લોકસભાની ચૂંટણીનું રણસીંગુ ફૂંકાઈ ચૂક્યું છે.ત્યારે સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર ભાજપે ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે અને કોંગ્રેસ દવારા ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે.ત્યારે ચંદુભાઈ પોતે હળવદના છે અને ઠાકોર સમાજ માંથી આવે છે અને ઠાકોર સમાજના કુલ સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર 1.81 લાખ મત છે.બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજ માંથી આવે છે અને તળપદા કોળી સમાજના કુલ 3.84 લાખ મત છે.
આ લોકસભામાં કેટલી વિરમગામ, ધંધુકા, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. બન્ને પક્ષના ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા પહેલા જ પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.ત્યારે બન્ને પક્ષના સંગઠનના કાર્યકરો પણ પ્રચારમાં લાગી ગયા છે.અને ખાસ કરી કોંગ્રેસ ના ઉમેદવાર ઋત્વિક મકવાણા સાથે આપના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા છે.
ત્યારે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા પણ પ્રચાર માં જોડાયા છે પરંતુ હાલ ક્ષત્રિય સમાજની પરસ્તોતમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે જિલ્લાના ગામડાઓમાં પ્રવેશ બંધીના બેનરો લાગ્યા છે જેથી પ્રચારના કાર્યક્રમમાં ભાજપને ફેરફાર કરવા પડી રહ્યા છે.
ભાજપનાં ચંદુભાઇ શિહોરા ચુંવાળિયા કોળી છે, ચંદુભાઈ મૂળ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા છે, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે, ચંદુભાઇ ઉધોગપતિ સાથે સારા સંબંધો ધરાવે છે, વ્યસાયમાં ખેતી અને ઉધોગ સાથે સંકળાયેલા છે
તથા ઋત્વિક મકવાણા તળપદા કોળી સમાજના મોટા નેતા તરીકે તેમની ગણના થાય છે, ઋત્વિક મકવાણા પોતે ખાનદાની રાજકીય નેતા તરીકે જાણીતા છે, 2017માં ચોટીલા બેઠક પર વિધાનસભાના ધારાસભ્ય રહ્યા અને 2022માં હાર થઈ, તેમના દાદા કરમશી મકવાણા પોતે કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે, તમને અન્ય એક દાદા સવસીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે, ઉત્તર બુનિયાદી શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો ઈતિહાસ
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ
છેલ્લી પાંચ ટર્મમાં બે વખત કોંગ્રેસ અને 3 વખત ભાજપના ઉમેદવારની જીત
સોમા પટેલ અને સાવસીભાઈ મકવાણા આ બંને કોંગ્રેસમાંથી સાંસદ બન્યાં
દેવજીભાઈ ફતેપરા અને ડો.મહેન્દ્ર મુંજપરાની ભાજપમાંથી સાંસદ બન્યાં
ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ અહીં કોળી ઉમેદવાર પસંદ કરે છે
સુરેન્દ્રનગર લોકસભા બેઠકનું જ્ઞાતિ સમીકરણ
તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ
તળપદા કોળી સમાજના અંદાજે 3 લાખ 83 હજર મત છે
કોળી સમાજ પછી ઠાકોર અને ક્ષત્રિય સમાજ આવે છે
અનુસૂચિત જાતિના મતદારો,પાટીદાર અને આહીર સમાજનું પણ વર્ચસ્વ
મુસ્લિમ સમાજના મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે
ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે
બેઠકનું જ્ઞાતિ સમીકરણ
સુરેન્દ્રનગર લોકસભાની બેઠક પર તળપદા કોળી સમાજના લોકોના મત સૌથી વધુ છે.જેમાં 3.83 લાખ મત છે. બીજા નંબરે ઠાકોર સમાજ અને ક્ષત્રિય સમાજ તેમજ મુસ્લિમ સમાજના વોટરોની સંખ્યા વધારે છે. અનુસૂચિત જાતિના મતદારપાટીદાર, આહીર અને ક્ષત્રિય મતદારોનો પણ પ્રભાવ ચૂંટણી સમયે પાટીદાર,આહીર અને ક્ષત્રિય મતદારો પણ બાજી પલટી શકે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy