જસદણ તાલુકાના લીલાપુર ગામે ધુઆધાર મંદિરની સામે અવરુ કુવામાં બળદ પડી જતા જસદણના જીવદયા પ્રેમી લાલભાઈ દુધરેજીયા, ડો. દિગુભા, મહર્ષિ દેસાણી, જેરામભાઈ ભવાનભાઈ તેમજ વિજય ચૌહાણ સહિતની સેવાભાવી ટીમ લીલાપુર ગામે દોડી ગઈ હતી. જ્યાં કુવામાં ઉતરીને ક્રેનની મદદથી બળદને અંદાજિત 50 ફૂટના કૂવામાં પાણીમાં ઉતરીને બળદને જીવતો બહાર કાઢી ડોક્ટરી ટ્રીટમેન્ટ કરી જસદણ શિવની ડેરીએ પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું હતું. આ ટીમે આજે સાચા અર્થમાં રામનવમી તહેવારની ઉજવણી કરેલ હતી. બપોરના સમયે ખાવા પીવાની પરવા કર્યા વગર મહેનત કરી બળદને બહાર કાઢી સાચા રામભક્તનું ઉદાહરણ પૂરું પાડેલ હતું. (તસ્વીર : નરેશ ચોહલીયા-જસદણ)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy