(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 17
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ઘુડખર અભયારણ્યમાં ઉનાળામાં કુદરતી પાણીના સ્ત્રોત સુકાઈ જતા પ્રાણીઓને મુશ્કેલી ભોગવવી પડે છે. જેને ધ્યાને લઈ વન વિભાગ દ્વારા અભયારણ્યમાં વસવાટ કરતા પ્રાણીઓ માટે 100થી વધુ પાણીના પોઈન્ટ શરૂ કરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ઉનાળામાં કાળઝાળ ગરમી વચ્ચે પશુ-પક્ષી તેમજ પ્રાણીઓની હાલત કફોડી બનતી હોય છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા નાનું રણ જેનો વિસ્તાર 4,953 ચોરસ કિલો મીટર જેટલો છે. આ વિસ્તારમાં ગરમીની સીઝનમાં ગરમીનો પારો અંદાજીત 40 થી 45 ડિગ્રીની આસપાસ હોય છે.
સામાન્ય દિવસોમાં પાણીના કુદરતી સ્ત્રોત દ્વારા અભયારણ્યમાં વસવાટ કરતા પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે છે પરંતુ ઉનાળમાં આ કુદરતી સ્ત્રોત સુકાઇ જાય ત્યારે આ પરિસ્થિતિની અંદર આ વિસ્તારમાં નિલ ગાય, ઘુડખર ઝરખ, ડેઝર્ટ ફોકસ, તેમજ વન્ય પ્રાણી, પક્ષીઓ માટે પણ અભયારણ્ય દ્વારા રણની અંદર આવેલા અવાડાની અંદર ટેન્કર અને ટ્રેક્ટર દ્વારા પાણી ભરવામાં આવી રહ્યું છે.
નાના રણમાં ચાર રેન્જ, ધ્રાંગધ્રા રેન્જ, બજાણા રેન્જ, હળવદ રેન્જ અને આડેસર રેન્જ, આવેલી છે. આ અભયારણ્યમાં અંદાજીત100 જેટલા પાણી માટેના અલગ-અલગ જગ્યાએ પોઈન્ટ શરૂ કરી અવાડાની અંદર પાણી ભરવામાં આવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy