(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 18
સરકાર દ્વારા ગુજરાત અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ-1985માં સુધારા કરી નવા એમેન્ડમેન્ટ બહાર પાડવામાં આવેલ. જે અન્વયે અશોકકુમાર યાદવ, પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જની સુચના મુજબ કે.સી. સંપટ જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર સુરેન્દ્રનગર તથા ડો.ગીરીશ પંડયા પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર દ્વારા સમગ્ર જીલ્લામાં આમ જનતાની કિંમતી જમીનો પર ગેર કાયદેસર કબજો કરી ખંડણી ઉધરાવવા, અપહરણ તથા લુંટ મારામારી, હથિયાર ધારા, દારૂ, જુગાર તેમજ અન્ય ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિ કરી જાહેર વ્યવસ્થાને બાધકરૂપ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમને સખત હાથે ડામી દેવા માટે સરકારનાં નવા એમેન્ડમેન્ટ મુજબ પાસા જેવા કડક પગલાઓ લેવા સુચના કરેલ.
જે અન્વયે સુરેન્દ્રનગર એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેકટર બી.એલ. રાયજાદાએ એલ.સી.બી. સ્ટાફને આવી પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા તડીપાર દરખાસ્તો તૈયાર કરવા સુચના કરતા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં મારામારી લુંટ વિગેરે શરીરી સબંધી ગુન્હાહિત અસામાજીક પ્રવૃતિના કેસોમાં સંડોવાયેલ નીચે મુજબનાં ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરાવી જીલ્લા મેજીસ્ટ્રેટ સુરેન્દ્રનગરનાઓ તરફ મોકલતા આ કામના સામાવાળા વિરૂધ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલ.સી.બી. સુરેન્દ્રનગર તથા જીલ્લાનાં પોલીસ સ્ટેશનની ટીમો ધ્વારા પકડી પાડી અટકાયતમાં લઇ પાસા વોરન્ટની બજવણી કરી લગત જેલ હવાલે કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy