(પ્રકાશ દવે દ્વારા) કેશોદ, તા.30
પોરબંદર બેઠક પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભયું છે ત્યારે કેશોદમાંથી લોગ પાર્ટીના ઉમેદવાર હરસુખભાઈ સિધ્ધપરાએ પણ લોકસભાની ચૂંટણી માટે પોરબંદર બેઠક પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યુ છે અને હાલ તેઓ ડોર ટુ ડોર લોકોને મળી પોતાને મત શા માટે ? તેના વિશે પ્રચાર પ્રસાર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે લોગ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા હરસુખભાઈ સિધ્ધપરા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને તેઓ કેશોદના પ્રજાહિત માટે સતત છેલ્લાં ઘણા વર્ષોેથી કામ કરી રહ્યા છે અને લોકોના પ્રશ્રો અંગે રજુઆતો પણ કરતાં રહે છે.
અત્યાર સુધીમાં તેઓએ રોડ રસ્તા કામો યોગ્ય થાય તેવી રજૂઆતો તેમજ કેશોદ લોકો માટે અવારનવાર નગરપાલિકાને રજૂઆત કરતાં હોય છે તેમજ તેઓ દ્વારા કેશોદના અતિ મહત્વ એવા ટોલ ટેક્સના મુદે સતત આંદોલન કરી રજુઆત કરી હતી ત્યારે આમ એક જાગૃત નાગરિક સાથે તેઓ એક વેપારી આગેવાન પણ છે અને કેશોદ તાલુકાના જાણીતા વ્યક્તિ હોય તેઓએ પોરબંદર બેઠક પર લોગ પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હોવાથી હાલમાં હરસુખભાઈ સિધ્ધપરા એકલા હાથે કોઈ ખર્ચ કર્યા વગર પોતાની વાત મતદારો સુધી પહોંચાડવા માટે ડોર ટુ ડોર લોકોને મળી રહ્યા છે.
ત્યારે લોકો પણ તેમની વાત સાંભળતા હાલમાં જોવા મળે છે ત્યારે શું ભાજપ કોંગ્રેસ અને લોગ પાર્ટીના આ ઉમેદવાર વચ્ચે ચુંટણીનો ખરાખરીનો જંગ જામશે ખરો ? તેની તો સમય આવ્યે જ ખબર પડશે પણ હાલમાં આ ઉમેદવારની સ્થાનિક લોકોમાં ભારે ચર્ચાઓ થતી જોવા મળે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy