રાજકોટ:તા 16
આજ રોજ સવારે લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા એ ઉમેદવારી ફોર્મ ભરવા માટે જાગનાથ મહાદેવ ના મઁદિરેથી જંગી મેદની સાથે ગાડી બાઇકની રેલી યોજી બહુમાળી ભવન રેસકોર્સ ખાતે સભા સ્થળે જવા પ્રસથાન કર્યું.
ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઈ રામાણીની આગેવાનીમા સ્વામીનારાયણ મંદિર રિબડા એસજીવીપીના ધર્મવત્સલ સ્વામી, ગુરુકુલના પૂર્ણપ્રકાશ સ્વામી, ઉદયનગરના વ્રજવલ્લભ સ્વામી, નિર્લભ સ્વામી ભૂપેન્દ્ર રોડ, બાલાજી મંદિર, માધાપર ચોકડી, મહાપુજા ધામ મંદિર વિગેરે બહોળી સંખ્યામા સંતો-મહંતો ફૂલહાર, ખેસ પહેરાવી પરસોતમભાઈ રૂપાલા ને આશીર્વાદ આપવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પરસોત્તમ રૂપાલા એ બહોળી સંખ્યામા ઉપસ્થીત સંતો- મહંતોના આશીર્વાદ મેળવી ઉમેદવારી નોંધાવી હતી.
આ તકે પૂર્વ મંત્રી આર.સી. ફળદુ, ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાંણી, વિશ્વ ઉમીયાધામના ડિ.એન. ગોલ તેમજ ટ્રસ્ટીઓ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, પ્રવકતા રાજૂભાઈ ધ્રુવ, પૂર્વ ગૌ-સેવા આયોગ ચેરમેન ડો. વલ્લભભાઇ કથિરીયા, જીલ્લાના ખ્યાતનામ એડવોકેટ અનીલભાઇ દેસાઇ, મયુરભાઇ શાહ, પૂર્વ જીલ્લા મહામંત્રી નાગદાનભાઇ ચાવડા, અમર ડેરીના ચેરમેન અશ્વીનભાઇ સાવલીયા, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મનીશભાઇ સંઘાણી વિગેરે આગેવાનો પણ ઉપસ્થીત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy