મોરબી તા.20
મોરબીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સામતભાઈ આલાભાઈ જારીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાથે તા 18 ના રોજ જાણીતા કલાકાર રાજભા ગઢવીના લોકડાયરોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં જારીયા પરિવાર સહિત અનેક લોકો લોકડાયરામાં આવ્યા હતા અને મોરબી સદભાવના હોસ્પિટલની બાજુમાં આવેલ બોયઝ હાઈસ્કૂલના ગ્રાઉન્ડ (શ્રીકૃષ્ણ ધામ) ખાતે રાજભા ગઢવી અને તેના સાથી કલાકારોએ લોકડાયરામાં જમાવટ કરી હતી ત્યારે કલાકાર ઉપર મોરબીના દાતા વરસી ગયા હતા અને રાજભા ગઢવીના આ લોક સાહિત્યના ડાયરામાં એક જ રાતમાં અંદાજે 10 લાખથી વધુનો વરસાદ કરવામાં આવ્યો હતો.
જેની વધુમાં નિર્મલભાઇ જારીયા પાસેથી મળેલ માહિતી મુજબ રાજભા ગઢવીના લોકડાયરામા અંદાજે 10 લાખથી વધુનું ભંડોળ એકત્રિત થયેલ છે જે આગમી દિવસોમાં ગૌશાળા, વૃદ્ધાશ્રમ અને અંધાશ્રમ સહિતના સ્થળેઓ સેવકાર્યમાં વાપરવામાં આવશે આ કથામાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ દીપિકાબેન સરડવા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો સહિતના લોકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો.
(તસ્વીર/અહેવાલ : જીગ્નેશ ભટ્ટ દ્વારા)
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy