આગામી તા.10મે ને શુક્રવારના રોજ હિન્દુ સનાતન ધર્મ પરંપરામાં છઠા અવતાર એવા ભગવાન પરશુરામજીના અવતરણના દિવસ છે. તેથી આ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવા અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજની બેઠક જિલ્લા પ્રમુખ મુકુંદભાઈ મહેતાના અઘ્યક્ષ સ્થાને ગત તા. ર0 એપ્રિલના શનિવારે રાત્રે 9 કલાકે શ્રી પરશુરામ ધામ મંદિર અમરેલી ખાતે મળેલ હતી આ બેઠકમાં જિલ્લા / શહેર સમસ્ત બ્રહ્મ સમાજના વરિષ્ઠ પાંખ, યુવા પાંખ અને મહિલા પાંખના પદાધિકારીઓ, બ્રહ્મ અગ્રણીઓ, કાર્યકર ભાઈ - બહેનો અને સ્વયંસેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
તા.10 ને શુક્રવારે બપોરે 4/30 કલાકે શ્રી નાગનાથ મહાદેવ મંદિરે થી ઉત્સવની શોભાયાત્રા પ્રસ્થાન કરી. શ્રી મહાત્મા મૂળદાસ ચોક, ડો.જીવરાજ મહેતા ચોક, સ્ટેશન ચોક, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, એસ ટી બસ સ્ટેશન થઇ પરશુરામ ધામ મંદિર ખાતે વિરામ લેશે તથાભગવાન શ્રી પરશુરામજીની મહા આરતી તથા છપનભોગ દર્શન સાંજે 7:30 કલાકે થશે અને ત્યારબાદ પ્રસાદ વિતરણ કરવામાં આવશે. મહા મંત્રી ભગીરથ ત્રિવેદીની યાદી જણાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy