(લીતેશ ચંદારાણા)
વાંકાનેર તા.25
સમસ્ત બ્રહ્મ સમાજના આરાધ્ય દેવ ભગવાન પરશુરામદાદાની આગામી તા.10ના રોજ આવતી જન્મ જયંતિ ધામધુમથી ઉજવણી કરવા અંગે અને શોભાયાત્રા, મહાપ્રસાદ સહિત વિવિધ આયોજન કરવા માટે ચર્ચા વિચારણા કરવા આગામી તા.28/4ને રવિવારના રોજ શ્રી ગાયત્રી શકિતપીઠ ખાતે સાંજે 5-30 કલાકે એક અગત્યની મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે.
આ તકે વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ કે. ઓઝાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે વાંકાનેર તથા તાલુકાભર વસવાટ કરતા બ્રહ્મસમાજના પ્રમુખ, અગ્રણીઓ આગેવાન ભાઈઓ બહેનો મંત્રીઓ કારોબારી સભ્યો તેમજ કર્મકાંડી ભુદેવો તથા મહીલા મંડળના બહેનો મહીલા ધુન મંડળના બહેનો તતા તમામ બ્રહ્મસમાજના ભાઈ બહેનોને આ મીટીંગમાં તા.28ને રવિવારના રોજ સાંજે 5-30 કલાકે વાંકાનેર ગાયત્રી શકિતપીઠ ખાતે ઉપસ્થિત રહેવા પ્રમુખ જયેશભાઈ કે. ઓઝાએ જણાવેલ છે.
વધુમાં મીટીંગ પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મસમાજ પરીવારો માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy