(ભીખુભાઈ વોરા) વડીયા,તા.23
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં ઉનાળો આવે અને પીજીવીસીલના લો વોલ્ટેજના પ્રશ્નોને ઉપસ્થિત થાય છે. વડિયાના સુરગપરા વિસ્તારમાં ગત વર્ષે લો વોલ્ટેજના પ્રશ્નો ઉપસ્થિત થતા મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરાતા સ્થાનિક ધારાસભ્ય એવા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા એ રૂબરૂ મુલાકાત કરીને લોકોની વાત સંભાળી પીજીવીસીલ કચેરીએ લોકો સાથે જઈ ને સ્થાનિક અને ઉચ્ચ અધિકારીનો ઉધડો લઇ તાત્કાલિક લો વોલ્ટેજનો પ્રશ્ન દૂર કરવા સૂચના અપાઈ હતી.
ત્યાર બાદ પીજીવીસીલ ના તંત્ર એ સુરગપરા વિસ્તાર માં પાવર સપ્લાય ને મેનેજ કરવા બે નવા ટીસી ઉભા કરી ને લો વોલ્ટેજ દૂર કરવા કાર્યવાહી કરી હતી પરંતુ આ પ્રશ્ન સંપૂર્ણ પૂર્ણ ના થતા સ્થાનિક જાગૃત નાગરિક વિક્રમસિંહ ચાવડાએ સ્થાનિક પીજીવીસીલ ના અધિકારી ને રજુવાત કરતા તેમને લોડ વધારો માંગવા જણાવવામાં આવેલ તે રકમ પણ અરજદાર દ્વારા ભરવામાં આવતા અને ફરિયાદ કરનાર દ્વારા રૂફટોપ સોલાર સિસ્ટમ પણ લગાડવામાં આવતા છતાં હજુ લો વોલ્ટેજ નો પ્રશ્ન પૂર્ણ ના થતા આ અરજદાર દ્વારા અંતે કંટાળી ને આ જાડી ચામડીના અધિકારીઓને પાઠ ભણાવવા માટે તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ફરિયાદ કરતા સ્થાનિક નાયબ ઈજનેર દ્વારા ટૂંકાગાળા માં લો વોલ્ટેજ નો પ્રશ્ર્ન પૂર્ણ કરવા લેખિત ખાત્રી આપેલ હતી પરંતુ આજે એક વર્ષ વીતવા છતાં ગુજરાત સરકાર ના તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અને ધારાસભ્ય એવા નાયબ મુખ્ય દંડક ની સૂચનાની કોઈ પરવાહ ના હોય તેમ હજુ વડિયા ના સુરગપરા ના લો વોલ્ટેજ નો પ્રશ્ન ત્યાં નો ત્યાં જ જોવા મળી રહ્યો છે.
આ બાબતે સત્યતા તપાસવા સ્થાનિક પીજીવીસીએલ કર્મચારીનો સંપર્ક કરતા સુરગપરા વિસ્તાર માં ઉનાળો આવતા એર કન્ડિશન ની સંખ્યા વધતા લો વોલ્ટેજ નો પ્રશ્ન ઉપસ્થિત થાય છે સાથે તે મેન્ટેન કરતા રૂફટોપ સોલાર થી આજ વિસ્તાર માં દિવસે હાઇ વોલ્ટેજ ની પણ ફરિયાદ આવે છે ત્યારે આ પ્રશ્ર્ન ખુબ જટિલ હોવાનુ જણાવ્યું હતુ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy