રાજકોટ, તા.22
રબારી સમાજના આગેવાન, રાજકોટ શહેર બક્ષીપંચના રત્નાભાઇ રબારીનું અવસાન થતાં ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ અને અશ્ર્વિનભાઇ મોલીયાએ શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું કે સ્વ. રત્નાભાઇ રબારીએ યુવા વયથી ભાજપમાં અનેકવિધ સંગઠનાત્મક જવાબદારીનું નિષ્ઠાપૂર્વક વહન કરેલ હતું.
રત્નાભાઇ મહાદેવના પરમ ભક્ત હતા. રાંદરડા તળાવ સ્થિત લાખેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે તેઓ સેવાકીય પ્રવૃત્તિઓમાં સેવા આપતા તેમજ રબારી સમાજમાં પણ સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહી સામાજિક દાયિત્વ નિભાવતા. ભાજપ મોરચામાં મહામંત્રી તરીકે પણ જવાબદારી વહન કરી શહેર ભાજપ મોરચાના સંગઠનને મજબૂત બનાવવા સક્રિય રહયા હતા. રત્નાભાઇની વિદાયથી પરિવારમાં, પાર્ટીમાં, મિત્રવર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy