(ફારૂક કાઝી) ઉના, તા. 18 ગીર ગઢડાનાં વન્ય બોર્ડર પર આવેલા કોદીયા ગામ ની મચ્છુન્દ્રી નદી ઉપર ગીર વિસ્તાર ની નદીઓ ને સાંકળી રાકતો મછૂનદી ડેમમાં અને જસાધાર રેન્જ ની વચ્ચે ચીકલકુબા નેશ વિસ્તાર નો સૌથી વિશાળ વિસ્તારમાં પથરાયેલ રાવલ નદી ઉપર નો રાવલ ડેમ આશીર્વાદ સમો બન્યો છે. ઉના, ગીરગઢડા તાલુકા નાં 142 ગ્રામિણ વિસ્તારો જંગલ નાં નેશ વિસ્તારો નાં માલઢોર, અને લોકોને પીવાનું પાણી પુરૂ પાડેછે એટલુંજ નહીં પરંતુ કેન્દ્ર શાસિત સંધ પ્રદેશ દીવને સીધું પાઈપલાઈન મારફતે પીવાનું પાણી પૂરું પાડે છે બન્ને ડેમ નાં નિચાણવાળા વિસ્તારોમાં ઊના અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતો ને શિયાળુ પાક અને ઉનાળું પાક લેવા માટે કેનાલ મારફતે સિંચાઇના 10 થી 12 પાણી વાવેલ પાકો ને મળી રહે તેટલું આપે છે . આ ઊપરાંત ગીરનાં વન્ય પ્રાણી માટે પણ રીજવર રખાય છે. હાલ ઉનાળામાં જ્યારે અન્ય ડેમોની પરિસ્થિતિ વિકટ છે અને લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે ઊના ગીરગઢડા દીવ જેવાં ગીર સોમનાથ જિલ્લાનાં સૌથી છેવાડાના મોટાં તાલુકામાં આ બંને ડેમ લોકોની જીવાદોરી સમાન અને આશિર્વાદ રૂબ બની ગયાં છે સિંચાઈ પેટા વિભાગ ઉના હેઠળ બનાવેલ વિવિધ યોજના છે અંતર્ગત સિંચાઈનાં પાણી પુરવઠા યોજના હેઠળ ઉના તાલુકાના ગૃપ મુજ્બ ગામોને પીવાના પાણીનો લાભ મળે છે . તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને પણ પાણી પુરવઠા દીવ દ્વારા પીવાનું પાણી રાવળ સિંચાઈ યોજનામાંથી આપવામાં આવે છે.રાવળ સિંચાઈ યોજના હેઠળ બે કાંઠાની પિયત માટેની યોજનનો સમાવેશ થાય છે. જેમાં મહોબત્ત પિકઅપ વિયર માંથી ડાબા તેમજ જમણા કાંઠાની યોજના હાલ ચાલુ છે જેમાં અંદાજિત 1500 હેકટર જમીનના ખેડૂતોને સિંચાઈ યોજનાનો પિયતનો લાભ મળે છે. ઊના, ગીર ગઢડા અને દીવના લોકોને પીવાનુ પાણી પૂરું પાડતા જીવાદોરી સમાન રાવલ ડેમ છે આ વિસ્તારના ખેડૂતને પણ પિયતના પાણી કેનાલ મારફતે મળી રહ્યા છે. સમયસર જંગલ વિભાગ સાથે સંકલન કરીને રાવળ ડેમ સિંચાઈ યોજનામાંથી કાંપ કાઢવામાં આવે તો ડેમમાં વધુ પાણીનો જથ્થો સંગ્રહ થઈ શકે અને આવનારા સમયમાં આ વિસ્તારના લોકોને પાણી અંગે કોઈ દુષ્કાળ જેવી કુદરતી પરિસ્થિત સર્જાય તો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવોજ નાં પડે. હિતેષભાઈ બવાડિયા (ખેડૂત)એ જણાવ્યું હતું કે ગીરગઢડા વિસ્તાર નાં જરગલી અને આજુબાજુના વિસ્તારો નાં ખેડૂતો મચ્છુન્દ્રી નદી સિંચાઇ યોજના માંથી પિયતનું પાણી મેળવે છે.દેવ દિવાળીના સમયથી પિયત માટે સિંચાઇ યોજનાનું પાણી મળવાનું શરૂ થાય છે.આ વિસ્તારમાં પાણીના તળ ઊંડા જતાં રહ્યાં જેથી કૂવા અને બોર થી પિયત માટે પાણી રહેતું નથી.જેથી સમયસર આ સિંચાઇનું પાણી પિયત માટે મળતું હોવાથી આ વિસ્તારના ખેડૂતો એક થી બે પાક સારી રીતે લઈ શકે છે. સિંચાઇ યોજના દ્વારા 10 થી 12 પાણી આપવામાં આવે છે અને કાંકરિયાળ મજમીનમાં એક થી બે વધુ પાણી આપવામા આવે છે.વર્ષમાં એપ્રિલ મહિનાના અંત સુધી આ સિંચાઈ યોજનાનુ પાણી આપવામા આવે છે ત્યાબાદ બંધ કરી દેવામાં આવે છે.જો મે મહિનાના અંત સુધી સિંચાઇ માટેનું આ પાણી આપવામાં આવે તો પાછળથી વાવેલા પાક લઈ શકે તેવી માંગણી કરાય હતી. ઉના, ગીરગઢડા તાલુકા હેઠળ આવેલાં રાવળ સિંચાઈ યોજના તેમજ મચ્છુન્દ્રી સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે.. મચ્છુન્ડ્રી ડેમની હાલની પરિસ્થિતિ કુલ ડેમની કેપેસિટીના 8.5% એમ.સી.એમ.પાણી એટલે કે 33 ટકા જેટલો પાણીનો જથ્થો ડેમમાં ભરેલો છે.મચ્છુન્દ્રી ડેમ સિંચાઈ યોજનામાંથી હાલ ડાબા કાંઠા અને જમણા કાંઠા વિસ્તારમાં સિંચાઈ માટે પાણી ચાલુ છે અને અંદાજે 4 હજાર હેકટર જમીનમાં આ સિંચાઇનો ખેડૂતોને લાભ મળી રહ્યો છે. 8 પાણીનું આયોજન હતું જેમાં હાલ ખેડુતોને 7 મુ પાણી ચાલુ છે. મચ્છુન્દ્રી સિંચાઈ યોજનામાંથી ગીર ગઢડા તાલુકાના 42 ગામોને પીવાનું પાણી પાણી પુરવઠા જુથ યોજના દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ ઉપરાંત જુદાં જુદાં ગ્રામિણ વિસ્તારોમાં નર્મદા અને મહીપરી યોજના હેઠળ પાણી અપાય છે આ સંપૂર્ણ તંત્ર પાણી જુથ યોજના ની અન્ય કચેરી હેઠળ કામગીરી કરાય છે રાવલ અને મચ્છુ નદી ડેમ સિંચાઇ વિભાગ હેઠળ આવે છે ડેમ હેઠળ નાં ગામો ને સિંચાઇ વિભાગ દ્વારા પાણી મળી રહે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy