મેળો માધવપુર તણો અને માનવીનો નહિ પાર, કૃષ્ણ-રૂક્ષ્મણી પરણશેને થશે જયજયકાર..

માધવપુર મેળાનો રામનવમીથી પ્રારંભ: ભગવાન શ્રીકૃષ્ણનું ફૂલેકુ નીકળશે: તડામાર તૈયારીઓ

Local | Porbandar | 15 April, 2024 | 11:14 AM
શ્રીકૃષ્ણે વિવાહ પછી રૂક્ષ્મણીને કંઈક માંગવા કહ્યું ત્યારે રૂક્ષ્મણીએ કહ્યું: નાથ, આપણા વિવાહમાં પધારેલા દેવી- દેવતાઓનો વાસ માધવપુરમાં રહે તેવી મારી ઈચ્છા છે:માધવપુરના બ્રહ્મકુંડમાં સર્વ તીર્થોનો વાસ છે
સાંજ સમાચાર

♦ રામનવમીથી શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના વિવાહના દરેક પ્રસંગો ધામધુમથી ઉજવાશે: હજારો ભાવિકો ઉમટી પડશે: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

માધવપુર (ઘેડ) તા.15 રૂડું રળીયામણુ માધવપુર (ઘેડ) દ્વારકા સોમનાથ હાઈવે પર આવેલું રમણીય તીર્થ છે કે જયાં શ્રીકૃષ્ણ ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કરી લગ્ન માધવપુરમાં કર્યા અને આજે પણ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીને વિચાર આવ્યો કે જયાં કુવારી ભૂમિ હોય અને જયાં કોઈના પણ લગ્ન ન થયા હોય ત્યાં અમારા લગ્ન કરવા છે. તેથી કૃષ્ણ અને માધવપુર છે .

ત્યાં દરિયો હતો. તેમને દુર જવા દઈ માધવપુર વસાવ્યું અને મધુવનમાં આવેલ ચોરી માયરામાં વિધીવત બધા દેવી-દેવતાઓ સહિત રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા. બેઠકજીમાં આવેલ કુંડમાં સ્નાન-પાન કયુર્ં અને સમગ્ર ભાવિક ભકતોના ઘેર ઘેરથી લાવેલ ફળ, ફુલ સામગ્રી વગેરેનો અંગીકાર કર્યા તેથી માધવપુરની બેઠકજીમાં ભગવાનને ભોગ લગાવવા સમયે પડદો આવતો નથી બાકી બધી જ બેઠકોમાં પડદો આવે છે અને કહેવાય છે કે શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણક્ષી પરણી ચૂકયા બાદ શ્રીકૃષ્ણએ રૂક્ષ્મણીને કહ્યું કે દેવી તમે મારી પાસે કંઈક માંગો તો રૂક્ષ્મણીજીએ માંગ્યું કે હે નાથ આપણા લગ્નમાં પધારેલા દેવી-દેવતાનો વાસ માધવપુરમાં રહે. તેથી શ્રી કૃષ્ણ પ્રભુએ તથાસ્તુ કહ્યું જેથી માધવપુરમાં આવેલ બ્રહ્મકુંડમાં સર્વ તીર્થોનો વાસ છે તેમ કહેવાય છે. માધવપુરમાં પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખતા, જોવા મળતા 13 તીર્થો સ્થળ આવેલા છે તે શ્રીકૃષ્ણ બળદેવના પ્રાચીન ઓળખ છે.

ચૈત્ર માસની રામનવમી (13) તેરસ સુધી ઉજવાતા શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીના લગ્ન તથા મેળાની પ્રાચીન ઐતિહાસિક પહેચાનને નરી આંખે માણવા અને શ્રીકૃષ્ણને દુલ્હા જોવા અને શ્રીકૃષ્ણ રૂક્ષ્મણી વિવાહમાં ભાગ લેવા માટે સમગ્ર ઘેડ પંથકની પ્રજા અનેરો થનગનાટ અને આનંદ ઉત્સવ જણાય રહ્યો છે. ભજન કીર્તન રાસ અને વિવિધ કાર્યક્રમો નિહાળવા જાનૈયા-માનૈયા તલપાપડ છે ઘરેઘરે પ્રસંગની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

તંત્રના વિવિધ ખાતાના અધિકારીઓ મેળાની શાંતિ-સ્વચ્છતા, પાર્કીંગ વ્યવસ્થા શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નમાં તથા મેળામાં આવેલ સમગ્ર જનતાને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે તડામાર તૈયારી કરી રહ્યા છે.

ભારતમાં સુપ્રસિધ્ધ સુવિખ્યાત ત્રણ મેળા છે જેમાં એક તરણેતરનો બીજો જુનાગઢ અને ત્રીજો શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નનો માધવપુરનો ચૈત્ર મેળો. સ્વયં શ્રીકૃષ્ણ પ્રભુએ વસાવેલું માધવપુર ઘેડ ઐતિહાસિક નગર છે અહીં શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી સાથે યુગલ સ્વરૂપે સાક્ષાત રહે છે. માધવપુરનું મહાત્મ્ય અનેરૂ છે ઘેડમાં મુખ્ય ત્રણ નદીઓ વહે છે.

ભાદર, ઓઝત અને મધુવંતી આ ત્રણેયનું સંગમ સ્થાન છે. તેથી લોક હૃદયના હૈંયે આમે પણ ગવાય છે કે "ગંગા યમુના સરસ્વતી ગૌમતીએ ગૌદાન તેથી અધિક મધુવંતી જયાં પરણ્યા શ્રી ભગવાન” ભગવાનના લગ્ન નિમિતિ ભરાતા મેળાને કહેવાય છે કે ‘માધવપુરનો માંડવો યાદવ કુળની જાન પરણે રાણી રૂક્ષ્મણી મનવાછીત શ્રી ભગવાન’ માધવપુર ભારતીય ધર્મ સાધકોનું ધાર્મિક સ્થળ છે સ્કંદ પુરાણમાં પણ માધવપુર મહાત્મ્યનો ઉલ્લેખ છે તેમાં ચોબારી, બરાટી, બ્રહ્મકુંડ, કહેલકુંડ, વરાહકુંડ વગેરે ઘણા તીર્થનો આજે પણ દર્શન થાય છે. માધવપુરમાં શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નમાં સર્વે દેવી દેવતા આવ્યા હોય અહીં ઘેડ વિસ્તારમાં વાસ કરે છે તેથી માધવપુરની ભૂમિ પણ વ્રજભૂમિ મુલ્ય ગણાય છે. શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવ અને મેળાનો પ્રારંભ ચૈત્રી રામનવમીથી થાય છે અને નોમ, દશમ, અગિયારસ ત્રણ દિવસ શ્રી કૃષ્ણ પ્રભુનું ફુલેકુ નિજ મંદિર એટલે કે માધવરાય મંદિરેથી રાત્રીના 9 વાગ્યે વાજતે ગાજતે નીકળશે અને બ્રહ્મકુંડ, પહોંચશે. અગીયારસને દિવસે મેળો પુરબહારમાં જાય છે. બારસના દિવસે શ્રીકૃષ્ણ પ્રભુ માધવરાયના મંદિરેથી બપોરના બે વાગ્યે વાજતે ગાજતે જાનૈયા સાથે નીકળી મેળા ગ્રાઉન્ડમાં પહોંચશે ત્યારે શ્રીકૃષ્ણ પ્રભુના લગ્ન કરવા માટે બીરાજેલા રથને પુરજોશમાં પવન વેગે દોડાવવામાં આવે છે.

તે જોવાનો અમૂલ્ય લહાવો છે રથ દોડાવવા પાછળનું કારણ કહેવાય છે કે શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીજીનું હરણ કરી લાવ્યા હતા તેથી તેના મોટા ભાઈ રૂકમૈયો રોષે ભરાયો હતો તેથી ર્ પુરજોશમાં દોડાવવામાં આવે છે કારણ કે નકકી કર્યા હતા તેથી તે બન્નેના રૂક્ષ્મણીથી લગ્ન મુહૂર્ત ન ચૂકાય તે માટે રથ દોડાવવામાં આવે છે. શ્રીકૃષ્ણનો રથ દોડી તથા જાનૈયાઓ દોડી મધુવનમાં પહોંચ્યા બાદ રૂક્ષ્મણીજીના પીયરમાં શ્રીકૃષ્ણ અને જાનનું સ્વાગત અને પોખણા કરવામાં આવે છે સામૈયા કરે છે.

ત્યારબાદ વિધીવત લગ્ન કરવામાં આવશે અને આમ શ્રીકૃષ્ણ રૂક્ષ્મણીના વિધીવત લગ્ન થઈ ગયા બાદ બારસને દિવસે યુગલ સ્વરૂપ મધુવનમાં જ રોકાય છે અને તેરસને દિવસે સમગ્ર જનતાને આ પરણી ચુકેલા યુગલ સ્વરૂપને પરણી એટલે કે ચાંદલો એટલે કે વધાવું કરવાનો હથોહથ અમૂલ્ય લ્હાવો મળશે ત્યારબાદ યુગલ સ્વસ્થ પોતાના નિજ મંદિરે આવવા રવાના થશે ત્યારે હજારો લોકો ગુલાલની છોળો ઉડશે લાલ જાજમ પાથરી હોય તેવું જોવા મળશે. માધવપુરમાં શ્રીકૃષ્ણના લગ્ન અને લગ્ન નિમિતે ભરાતા મેળાનો આનંદ અને આ સ્વાદ માણવા દેશ પરદેશથી અનેક ભાવિક ભકતો, સાધુ સંતો અને નાના મોયા સૌ કોઈ આવે છે અને ઐતિહાસિક પરંપરા મુજબ આજે પણ હજારો ગાડા, ઘોડા, ઉંટ, ગાડી લઈને લોકો આવે છે.

(તસ્વીર: આશીષ પોપટ)

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj