(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.12
ગોંડલ તાલુકાનાં પાટખીલોરી ગામની સીમમાં આવેલી વાડીમાં મધ્યપ્રદેશ નાં પ્રેમી પંખીડાએ ઝાડની ડાળીમાં લટકી આત્મહત્યા કરી હતી.બન્ને પ્રેમી યુગલ સબંધમાં સાળી બનેવી થતા હતા. જેમાં સાળી સગીર વયની હતી.
આ ઘટનામાં વાડી માલિક ને જાણ થતા સુલતાનપુર પોલીસ ને જાણ કરી હતી.દોડી આવેલી પોલીસે બન્નેનાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મધ્ય પ્રદેશ નાં બરહનપુર જીલ્લાનાં ડુંડગામ રહેતા ચંપીલાલ સુરસંગ બરડે ઉ.19 ને તેની સગીર વયની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમ ને સમાજ કે પરીવાર સ્વીકારશે નહી તેવી લાગણી સાથે ગત 15 માર્ચની આસપાસ બન્ને ઘરેથી નાશી છુટ્યા હતા.
અહીતહીં રખડી પંદર દિવસ પહેલા ગોંડલ નાં પાટખિલોરી ગામે ચંદુભાઈ રવજીભાઈ ગોળ ની વાડીએ ખેતમજુરી કરવા રહ્યા હતા. દરમ્યાન આ જન્મ માં એક થઈ જીવવું શક્ય નહી લાગતા પ્રેમ માં ઓતપ્રોત પ્રેમી પંખીડાએ વાડીમાં લીમડા નાં ઝાડની ડાળીએ સજોડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
વાડી માલિક વાડીએ ઝાડની ડાળીએ બન્નેની લાશ લટકતી જોઈ હબકી ગયા હતા.બાદમાં સુલતાનપુર પોલીસમાં જાણ કરતા પીએસઆઇ.આર.જે.જાડેજા તથા જમાદાર હિતેશભાઈ ગરેજા ઘટનાસ્થળે દોડી જઇ બન્નેનાં મૃતદેહ નીચે ઉતારી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસ સુત્રો અનુસાર ચંપીલાલ અને પોતાની સગી બહેન વચ્ચેનાં પ્રેમ ની જાણ ચંપીલાલ ની પત્નીને થતા અને પ્રેમી પંખીડા નાશી છુટતા પત્નિ ઘર છોડી માવતર ચાલી ગઈ હતી. બનાવ અંગે હિતેશભાઈ ગરેજા એ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy