માતાના મઢ ખાતે તા.15ના સોમવારે રાત્રે 8:30 કલાકે ચૈત્ર સુદ-7ના રોજ હવન વિધિ રાજાબાવાસી યોગેન્દ્રસિંહજીના વરદ હસ્તે પ્રારંભ થયેલ ચૈત્ર સુદ-8ના મંગળવારે ઉગતી આઠમના રાત્રીના 12:30 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે હવનમાં બિંડુ હોમવામાં આવેલ હતું.
આ સમયે રાજવી પરિવાર, માઈભકતો, સમગ્ર ટ્રસ્ટીગણ દર્શનાથીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલ. સમગ્ર વાતાવરણ ભકિતમય બની ગયેલમાં આશાપુરાના નાદથી ગુજી ઉઠેલ, માં-આશાપુરાના દર્શન માત્રથી સૌની મનોકામના પૂર્ણ થાય છે. તેમ વિનોદ પોપટ (રાજકોટ)એ જણાવેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy