રાજકોટ,તા.26
દેશ-વિદેશના લાખો ભાવિકો જે મહોત્સવની મહિનાઓથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે એવા મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવનું આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે 28વિં એપ્રિલ,2024 રવિવારના દિવસે સવારના 8:30 કલાકે વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ, ઋતંભરા કેમ્પસ, જે.વી.પી.ડી. સ્કીમ ખાતે કરવામાં આવ્યું છે.
શ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘના ઉપક્રમે છેલ્લા ત્રણ દિવસથી ઉજવાઈ રહેલાં મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવના ભવ્યાતિભવ્ય અવસરના અંતિમ ચરણ સ્વરૂપ મહોત્સવના ચતુર્થ દિવસે 27વિંએપ્રિલ 2024 શનિવારે સવારના 07:30 કલાકે દીક્ષાર્થી શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુની મંડપ મુહૂર્ત વિધિ બાદ 08:00 કલાકે દીક્ષાર્થીની માળારોપણ વિધિ યોજાશે.
ત્યારબાદ 9:00 કલાકે "મહાતપસ્વીને લાખો પ્રણામ" કાર્યક્રમની સાથે અખંડ 1008 આયંબિલ તપ આરાધિકા પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને ગુરુ મુખે કળશ પ્રત્યાખ્યાન અર્પણ કરવામાં આવશે. તેની સાથે સાથે આ અવસરે સંસારને આખરી સલામ સ્વરૂપ દીક્ષાર્થીનો સન્માન સમારોહ યોજાશે. ત્યારબાદ "બીકોઝ ઓફ યુ" એક અદભુત દૃશ્યાંકનની પ્રસ્તુતિ કરવામાં આવશે. બપોરના 3.30 કલાકે દીક્ષાર્થીની કોળિયા વિધિ યોજાશે.
વિશેષમાં, 28વિં એપ્રિલ,2024 રવિવારના મહોત્સવના અંતિમ દિવસે સવારના07:00કલાકે વાડીલાલ મોહનલાલ શાહ (પેરેડાઈઝપરિવાર) હસ્તે શ્રી શીલાબેન સી. વી. શાહના નિવાસસ્થાન માતૃછાયા, રોડ નં 6, જે. વી. પી. ડી. સ્કીમ, 21 ફ્રેન્ડસ સોસાયટી, બેન્ક ઓફ મહારાસ્ટ્રની સામે, વિલે પાર્લે (વે) ખાતેથી દીક્ષાર્થીની સંસારમાં ફરીને કદી પાછા ન ફરવાની "મહાભિનિષ્ક્રમણ યાત્રા" નું આયોજન કરવામાં આવશે.
મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજી એવમ દીક્ષાર્થીનો જય જયકાર ગજાવતી, આ મહાભિનિષ્ક્રમણ શોભાયાત્રા ગાજતી ગુંજતી ઋતંભરા કેમ્પસ ખાતે પધારશે જ્યાં મહાતપસ્વી પૂજ્ય મહાસતીજીને હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં પારણા કરાવવા સ્વરૂપ મહાતપોત્સવ તેમજ દીક્ષાર્થીને દીક્ષાના દાન આપવા સ્વરૂપ દીક્ષા મહોત્સવ યોજાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy