રાજકોટ, તા. 18
શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ અને શ્રીમદ રાજચંદ્ર આત્મ તત્વ રિચર્સ સેન્ટરના ઉપક્રમે પૂ. શ્રી ધીર ગુરૂદેવના શાલીન સાંનિધ્યે તા. 21ને રવિવારે સવારે 7.15 કલાકે મહાવીર પ્રભાત ફેરીનો પ્રારંભ થશે. જેમાં નવલખા સંઘ, કમાણી જૈન સંઘ, ટોલીગંજ સંઘ, પંજાબ જૈન સભા, હાવડા સંઘ-પાવનધામ, લીલવા સંઘ, પારસધામ સંઘ, મહાવીર સદન, જૈન ફોન્ફરન્સ શાખા, શ્રીમદ રાજચંદ્ર સેન્ટર જોડાશે. ચક્રબેરીયા લેન ખાતે તેરાપંથ ભવનમાં 9 કલાકે ડો. પ્રભુદાસભાઇ આર.લાખાણીના પ્રમુખ સ્થાને મહાવીર જન્મ કલ્યાણકની ઉજવણીમાં ચંદના સ્વાધ્યાય મંદિરના બાળકો વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરશે.
અહિંસા ભવનમાં આયંબિલ ઓળીની આરાધનામાં બહોળી સંખ્યામાં ભાવિકો લાભ લઇ રહેલ છે. રોજ સવારે 9 થી 10 કલાકે નવ પ્રશ્ર્ન અપાવે નવનિધાન વિષય પર ગુરૂદેવની પ્રવચન શ્રેણીમાં ભાવિકો ભાવવિભોર બની રહ્યા છે. મહાવીર જન્મ કલ્યાણકના ઝુંપડપટ્ટી વગેરેમાં હજારો મહાવીર મોદકનું વિતરણ મા સ્વામીની પ્રેરણાથી બીનાબેન અજયભાઇ શેઠ તરફથી કરાશે. તેમજ 27 સુવર્ણ ગીની લાડુમાં અને પ્રભાત ફેરીમાં કુલ પ મેગા ડ્રોમાં પ્રથમ 1 લાખ રૂપિયા સહિત ભાગ્ય વિજેતાને અર્પણ કરાશે. બપોરે ર.30 કલાકે ત્રિશલા માતા વેશભૂષા અને મહાવીર હાલરડા ગીત સ્પર્ધા યોજાશે. અજયભાઇ શેઠના હસ્તે દરેક સંઘને મહાવીર જન્મ કલ્યાણક વધામણાના બેનર અર્પણ કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy