ધોરાજી, તા. 1
સુપેડીના સેવાભાવી મહેન્દ્રભાઇ વાઘેલાનું છાતીમાં દુ:ખાવો ઉપડતા મોત નિપજેલ છે તેઓનું ચક્ષુદાન કરાયું છે. સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલ ધોરાજીને આ રપ8મું ચક્ષુદાન મળ્યું છે.
સુપેડી ગામે રહેતા મહેન્દ્રભાઇ પ્રેમજીભાઇ વાઘેલા (ઉ.વ.3પ) પાણીના વાલ્વમેન તરીકે પોતાની સેવાઓ આપતા હતા. તેઓને એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા ધોરાજી સરકારી દવાખાને સારવારમાં આવતા ડોકટરોએ મરણ જાહેર કરેલ હતા. બાદમાં માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકીએ પરિવારજનોને ચક્ષુદાન અંગે સમજાવતા ચક્ષુદાનની મંજુરી આપતા સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. જયેશ વેસેટીયન, ડો. આર.એમ.શાહ અને મેડીકલ ટીમના રોહિત સોંદરવા, નિતીન ચુડાસમાએ પોતાની માનદ સેવાઓ બજાવી હતી. સ્વ.નું ચક્ષુદાન ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે કરાયું હતું. આ તકે શ્યામ વાઘેલા, પ્રેમજીભાઇ વાઘેલા, વિપુલભાઇ વાઘેલા, અશ્વિનભાઈ પરેશા, કિશોરભાઇ વાઘેલા, હિતેષભાઇ લાડાણી, ચીરાગભાઇ ડઢાણીયા સહિતના હાજર રહેલ હતા. આ તકે માનવ સેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને ભોલાભાઇ સોલંકીએ સુપેડીના વાઘેલા પરિવારની સેવાઓને બિરદાવી સ્વ. મહેન્દ્રભાઇને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતી. માનવ સેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને રપ8મું ચક્ષુદાન મળેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy