(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા.4
રામજી શામજી ધાંધલા પરિવાર આયોજીત ભાગવત કથામાં કપિલ પ્રાગટ્ય અને શિવ વિવાહ કથા વિશે શ્રોતાઓને ખૂબ ભાવથી સમજણ આપી હતી.
તેમણે કહ્યું કે " માંને વય નથી હોતી વાત્સલ્ય હોય છે "એમજ શિવજી લોકોના કલ્યાણ માટે જ્યોતિ સ્વરૂપે પ્રગટ્યા તેથી તેનું જ્યોર્તિલિંગ કહેવાય છે. અને આપણા કાર્યમાં ભક્તિ ભળે ત્યારે તેમાં ઇશ કૃપા આપમેળે મળી જાય છે. તેમણે તાકીદ કરતાં કહ્યું કે સત્તા, સંપતિ , શાસ્ત્ર અને શસ્ત્ર યોગ્ય વ્યક્તિના હાથમાં હોય તો જ પચે છે.
બુદ્ધિ જ્યારે નિર્ણય કરે ત્યારે જો તેમાં ધર્મ ભળેતો એ સાત્વિક બની જાય છે."નિવૃત્તિ દ્વારા ધર્મ ચલાવે છે તે યોગીશ્વર શિવજી અને પ્રવૃતિ દ્વારા ધર્મને ધારણ કરે એ યોગેશ્વર શ્રીકૃષ્ણ જે શિવ અને વિષ્ણુનું એક્ય છે એ જ સનાતન ધર્મની ઉત્તમ ઉપલબ્ધિ છે.ધાંધલા પરિવારની આ કથામાં અમરેલીના વિદ્વાન સાહિત્યકાર સંસ્કૃતિના જ્ઞાતા ડો. વસંત પરીખ, ભાવ.ના મેયર ભરતભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ઈશ્વરભાઈ જાની’પી.એસ.આઈ. બોટાદ શ્રી વિજય પંડ્યા , તળાજાના ડો. આબીદ ભાઈ લક્મીધર સહિતના મહેમાનો એ પદ્યારી કથા શ્રવણનું પાન કર્યું હતું.કથાની વ્યવસ્થા દિહોરના "અમર" ધાંધલા પરિવારના યુવાનો તથા સ્થાનિક યુવા મંડળો એ સંભાળી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy